આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર ઍવૉર્ડ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઑક્ટોબર, 2025ના રોજ 70મા ફિલ્મફેર ઍવૉર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ આગામી શનિવારે (11 ઑક્ટોબર) કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 70મા ફિલ્મફેર ઍવૉર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આમ શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ બાદ ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન છે, તે દિવસે બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવવાના છે.
What's Your Reaction?






