અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આજે ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમ (બળેવ) ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે ખારવા સમાજની બહેનો અને ભાઈઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવનું પૂજન કરીને સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી.
દરિયાદેવની પૂજા અને પ્રાર્થના
આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ખારવા સમાજની બહેનોએ દૂધના બેડાં સાથે દરિયાકિનારે પહોંચીને દરિયાદેવનો અભિષેક કર્યો હતો. બહેનોએ ખાસ કરીને પોતાના પિતા, ભાઈ અને પતિ સહિત જે લોકો દરિયામાં માછીમારી કરવા જાય છે, તેમની સલામતી અને રક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરી હતી.
What's Your Reaction?






