અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે માગ્યો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘાં પડ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ સેવન્થ ડે સ્કૂલને નોટિસ ફટકારી છે. DEOએ સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે ખુલાસો માગ્યો છે. જેમાં આગામી ત્રણ દિવસમાં સ્કૂલે ખુલાસો કરવા જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ DEOએ સેવન્થ ડે સ્કૂલને ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા નોટિસ ફટકારી છે.
What's Your Reaction?






