અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો

May 1, 2026 - 04:30
અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: અમદાવાદના નારોલમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતા એક જ પરિવારના સભ્યો પર ચાર શખસોએ ભેગા મળીને લાકડાના દંડા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતના મામલે વચ્ચે પડવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસોએ મહિલા અને તેની બહેનો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પોલીસે તેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ફરિયાદ નોંધાવનાર 40 વર્ષીય હુસેનાબાનુ સલીમખાન ઉસ્માનગની પઠાણ છે, જે નારોલના ગ્રીન પાર્ક પાસે આવેલા બાગેશીફા રો-હાઉસમાં પોતાના પરિવાર સાથે રહે છે. હુસેનાબાનુ ગૃહિણી છે અને તેમના પતિ રિક્ષા ચલાવી પાંચ પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0