Visavadarની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આજે ઉમેદવારની કરશે જાહેરાત, ભાજપમાંથી કિરીટ પટેલ મેદાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિસાવદર પેટાચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે જેમાં વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે અને આજે કિરીટ પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે સાથે સાથે કિરીટ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને PM,ગૃહ મંત્રી, CM ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો છે, તો આમ આદમી પાર્ટીમાથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે.
વિસાવદરમાં AAP પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પણ મેદાને
વિસાવદરમાં પણ ખરાખરીનો જંગ જામ્યો છે, વિસાવદરમાં કોંગ્રેસ આજે ઉમેદવાર જાહેર કરશે અને આજે પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો છે અંતિમ દિવસ સાથે સાથે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે પણ મેદાને છે, પ્રજા શક્તિ ડેમોક્રેડિટ પાર્ટી શંકરસિહ વાઘેલાની છે અને કિશોર કાનપરિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ખરાખરીનો જંગ
કડીમાં પણ ચાવડા VS ચાવડાનો જંગ છે, તેમાં પણ ભાજપ, કોંગ્રેસ, AAP,શંકરસિંહની પાર્ટી મેદાને છે, આજે પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે અને ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે તો વર્ષ 2012માં હિતુ કનોડિયા સામે જીત્યા હતા ચૂંટણી અને કરશન સોલંકી સામે હારનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ AAPમાંથી જગદીશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે.
વિસાવદરમાં કાયદાકીય ગૂંચને લઈ વિવાદ હતો
વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ પણ છે કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતી ગયા હતા.ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું લાગી રહ્યુ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી.
બેઠક પર દિગ્ગજો વચ્ચે સંઘર્ષ
વિસાવદર બેઠક પર બે દિગ્ગજો ઘણા સમયતી આમને-સામને હતા. ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર જોવા મળ્યો હતો. મૂળ મામલો વિગતો છુપાવવાનો હતો. જેમાં હર્ષદ રીબડીયાનો આક્ષેપ હતો કે ચૂંટણી ફોર્મમાં ભૂપત ભાયાણીએ સાચી વિગતો જણાવી નથી. અને એટલે જ હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી 2023માં પિટિશન દાખલ કરી ભૂપત ભાયાણીની ચૂંટણીમાં જીત થવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિસાવદર બેઠકનો મામલો હાઈકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ પિટીશન પરત લેતા વિસાવદર બેઠક વિધાનસભા ચૂંટણી યોજાશે.
What's Your Reaction?






