VIDEO: ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યના મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Guru Purnima : ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યમાં આવેલા મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે નડિયાદના સંતરામ મંદિર, પંચમહાલના પવાગઢ, અંબાજી, દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના પ્રસિદ્ધ તીર્થસ્થાન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી છે.
સંતરામ મંદિર ખાતે ગુરુ ભક્તો ઉમટ્યાં
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સંતરામ મંદિર ખાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો સંતરામ બાપાના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. આ ઉપરાંત, ખેડૂતો પ્રથમ પાક સંતરામ બાપાને અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
What's Your Reaction?






