Vadodaraના Vaghodiaમાં પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા પત્નીની કરી હત્યા

પતિ અને પત્નીના ઝગડામાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો વાઘોડિયા તાલુકાના હાસાપૂરા ગામે બની ઘટના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ હોવાથી પતિ-પત્ની વચ્ચે ચાલતા હતા ઝઘડા વડોદરાના વાઘોડીયામાં મધ્ય રાત્રીના સમયે ખેલાયો ખૂની ખેલ,મધ્ય રાત્રીના પોણા બે વાગ્યાના સુમારે બની હતી ઘટના, આખુંય ગામ અને પરિવાર હતો નિંદ્રામાં.પતિના ગામમાં અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની વાત પત્નીને ખબર પડતાં પતિ અને પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હતો જેને લઈ પતિએ ઉશ્કેરાઈને ચપ્પુના ઘા મારી પત્નીની કરી હત્યા. પતિએ કરી પત્નીની હત્યા પતિના ગામની અન્ય યુવતી સાથે પ્રેમસંબંધને લઈ શનિવારની મધ્ય રાત્રીના સમયે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બાબતે ઝગડો થતાં પતિ આવેશમાં આવી તેની પત્નીને તેના ઘર પાસેના નવેરા પાસે આવેલા બાથરૂમ પાસે લઈ જઈ તેના પર ચપ્પુ વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી માત્ર ત્રણ મહિના જેટલા જ લગ્ન જીવનના સમયગાળામાં 21 વર્ષીય સ્નેહાનું જીવન પૂરું થઈ ગયું.સાસુ વહેલી સવારે ચાર વાગે જાગી ત્યારે તે બાથરૂમ તરફ જતા વહુ સ્નેહા લોહીથી લથબથ પડી હતી અંધારું હોવાના કારણે વહુને ત્યાંથી લાવી ઘરમાં ખાટલામાં સુવડાવી હતી પરંતુ તેનું મોત નિપજ્યું હતુ. સાસુ સવારે ઉઠયા ત્યારે ખબર પડી કે વહુની થઈ હત્યા સાસુ દ્રારા આજુ બાજુના લોકોને જાણ કરવામાં આવી ગામના લોકો દ્વારા જરોદ પોલીસને જાણ કરવામાં આવી હતી જરોદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથધરી હતી.વાઘોડિયા તાલુકાના હાસાપૂરા ગામના રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણના લગ્ન ગત 16/4/2024 ના રોજ સાબરકાઠાં જિલ્લાના બાદરજીના મુવાડા ગામે સ્નેહાબેન દેવુંસિંહ રાઠોડ સાથે સામાજિક રીત રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન બાદ સ્નેહા હાસાપૂરા ખાતે તેની સાસરી માં રહેતી હતી, પરંતુ પતિ રઘુવીરસિંહ નું ગામમાં જ અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ તેની પત્ની સ્નેહાને થતા પતિ અને પત્ની વચ્ચે આ બાબતને લઈ વારંવાર ઝગડો થતો હતો. પોલીસે પતિની કરી ધરપકડ ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં પત્નીને છોડી પતિ પાછો મકાનમાં જઈ ને સૂઈ ગયો હતો, પત્ની પર ચપ્પુ વડે હુમલો કરતા લોહીના ખાબોચિયાં ભરાયા હતા.કપડાં પણ લોહીથી લથબથ થઈ ગયા હતા.પોલીસને બનાવ વાળી જગ્યા પરથી પત્નીનું મંગળસૂત્ર,પગના પાચા,હાથમાં પહેરેલી કાચની બંગડીઓના ટુકડા મળી આવ્યા હતા, જેના પરથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે થયેલા ઝગડાના સમયે ઝપાઝપી થઈ હશે જેને લઈ તમામ વસ્તુ તેના શરીર પરથી નિકળી ને બનાવ વાળી જગ્યા પર પડી હતી, પોલીસે પતિ ની ધરપકડ કરી તપાસ હાથધરી હતી, Fsl ટીમ દ્વારા લોહી તેમજ અન્ય નમૂના લઈ Fsl રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો. દિકરીના પરિવારે હત્યારા પતિ પર આક્ષેપો કર્યા બીજી બાજુ સાબરકાઠાં જિલ્લા માં રહેતા તેના પિયર પક્ષ ના પરિવાર ને જાણ કરાતા સ્નેહા ના માતા પિતા સહિત પરીવારના સભ્યો હાસાપૂરા ગામ ખાતે દોડી આવ્યા હતા.દીકરીને મૃત હાલતમાં જોઈ પરિવાર શોક મગ્ન બન્યો હતો.પિતાએ આક્રંદ કરતા જણાવ્યું હતું કે મારી દીકરી ને મળવા બે દિવસ અગાઉ આવ્યો હતો પરંતુ બહાર ગામ ગઈ હોવાથી મારી દીકરી મને મળી ન હતી આજે મળી તો જીવતી ના મળી.સ્નેહાની માતા તેમજ કાકા કાકીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું અમારી દિકરીને અમારી સાથે ફોન પર વાત પણ કરવા દેતા ન હતા અને પિયર આવવા પણ દેતા ન હતા.બીજી યુવતીના પ્રેમ ના કારણે અમારી દિકરીને મારી નાખી છે.  

Vadodaraના Vaghodiaમાં પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા પત્નીની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પતિ અને પત્નીના ઝગડામાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
  • વાઘોડિયા તાલુકાના હાસાપૂરા ગામે બની ઘટના
  • પતિને અન્ય યુવતી સાથે પ્રેમ હોવાથી પતિ-પત્ની વચ્ચે ચાલતા હતા ઝઘડા

વડોદરાના વાઘોડીયામાં મધ્ય રાત્રીના સમયે ખેલાયો ખૂની ખેલ,મધ્ય રાત્રીના પોણા બે વાગ્યાના સુમારે બની હતી ઘટના, આખુંય ગામ અને પરિવાર હતો નિંદ્રામાં.પતિના ગામમાં અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની વાત પત્નીને ખબર પડતાં પતિ અને પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હતો જેને લઈ પતિએ ઉશ્કેરાઈને ચપ્પુના ઘા મારી પત્નીની કરી હત્યા.

પતિએ કરી પત્નીની હત્યા

પતિના ગામની અન્ય યુવતી સાથે પ્રેમસંબંધને લઈ શનિવારની મધ્ય રાત્રીના સમયે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બાબતે ઝગડો થતાં પતિ આવેશમાં આવી તેની પત્નીને તેના ઘર પાસેના નવેરા પાસે આવેલા બાથરૂમ પાસે લઈ જઈ તેના પર ચપ્પુ વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી માત્ર ત્રણ મહિના જેટલા જ લગ્ન જીવનના સમયગાળામાં 21 વર્ષીય સ્નેહાનું જીવન પૂરું થઈ ગયું.સાસુ વહેલી સવારે ચાર વાગે જાગી ત્યારે તે બાથરૂમ તરફ જતા વહુ સ્નેહા લોહીથી લથબથ પડી હતી અંધારું હોવાના કારણે વહુને ત્યાંથી લાવી ઘરમાં ખાટલામાં સુવડાવી હતી પરંતુ તેનું મોત નિપજ્યું હતુ.


સાસુ સવારે ઉઠયા ત્યારે ખબર પડી કે વહુની થઈ હત્યા

સાસુ દ્રારા આજુ બાજુના લોકોને જાણ કરવામાં આવી ગામના લોકો દ્વારા જરોદ પોલીસને જાણ કરવામાં આવી હતી જરોદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથધરી હતી.વાઘોડિયા તાલુકાના હાસાપૂરા ગામના રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણના લગ્ન ગત 16/4/2024 ના રોજ સાબરકાઠાં જિલ્લાના બાદરજીના મુવાડા ગામે સ્નેહાબેન દેવુંસિંહ રાઠોડ સાથે સામાજિક રીત રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન બાદ સ્નેહા હાસાપૂરા ખાતે તેની સાસરી માં રહેતી હતી, પરંતુ પતિ રઘુવીરસિંહ નું ગામમાં જ અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ તેની પત્ની સ્નેહાને થતા પતિ અને પત્ની વચ્ચે આ બાબતને લઈ વારંવાર ઝગડો થતો હતો.

પોલીસે પતિની કરી ધરપકડ

ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં પત્નીને છોડી પતિ પાછો મકાનમાં જઈ ને સૂઈ ગયો હતો, પત્ની પર ચપ્પુ વડે હુમલો કરતા લોહીના ખાબોચિયાં ભરાયા હતા.કપડાં પણ લોહીથી લથબથ થઈ ગયા હતા.પોલીસને બનાવ વાળી જગ્યા પરથી પત્નીનું મંગળસૂત્ર,પગના પાચા,હાથમાં પહેરેલી કાચની બંગડીઓના ટુકડા મળી આવ્યા હતા, જેના પરથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે થયેલા ઝગડાના સમયે ઝપાઝપી થઈ હશે જેને લઈ તમામ વસ્તુ તેના શરીર પરથી નિકળી ને બનાવ વાળી જગ્યા પર પડી હતી, પોલીસે પતિ ની ધરપકડ કરી તપાસ હાથધરી હતી, Fsl ટીમ દ્વારા લોહી તેમજ અન્ય નમૂના લઈ Fsl રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.


દિકરીના પરિવારે હત્યારા પતિ પર આક્ષેપો કર્યા

બીજી બાજુ સાબરકાઠાં જિલ્લા માં રહેતા તેના પિયર પક્ષ ના પરિવાર ને જાણ કરાતા સ્નેહા ના માતા પિતા સહિત પરીવારના સભ્યો હાસાપૂરા ગામ ખાતે દોડી આવ્યા હતા.દીકરીને મૃત હાલતમાં જોઈ પરિવાર શોક મગ્ન બન્યો હતો.પિતાએ આક્રંદ કરતા જણાવ્યું હતું કે મારી દીકરી ને મળવા બે દિવસ અગાઉ આવ્યો હતો પરંતુ બહાર ગામ ગઈ હોવાથી મારી દીકરી મને મળી ન હતી આજે મળી તો જીવતી ના મળી.સ્નેહાની માતા તેમજ કાકા કાકીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું અમારી દિકરીને અમારી સાથે ફોન પર વાત પણ કરવા દેતા ન હતા અને પિયર આવવા પણ દેતા ન હતા.બીજી યુવતીના પ્રેમ ના કારણે અમારી દિકરીને મારી નાખી છે.