Vadodara Breaking - વડોદરામાં સ્વાઈનફ્લૂથી બે દર્દીના મોત

54 વર્ષીય મહિલા અને 6 વર્ષીય બાળકનું મોત મિંઢોળ ગામના બંને દર્દીનું સારવાર દરમિયાન મોત બે દર્દીના મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું વડોદરાના મિંઢોળ ગામે H1N1 સ્વાઇનફલૂથી બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાની ઘટના બની છે,6 વર્ષીય ત્રિશા વસાવાનું સયાજી હોસ્પિટલમાં મોત તો રંજનબહેન રાઠોડનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે.તો મૃતક બન્ને દર્દીઓએ સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી,મિંઢોળ ગામે આરોગ્ય વિભાગ દ્વારા બે વાર કરવામાં આવી હતી સર્વેની કામગીરી,તો સર્વેની કામગીરી દરમિયાન એક પણ સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો ન હતો,ગ્રામજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અકોટામાં રહેતા વૃદ્ધનુ પણ થયુ હતુ મોત વડોદરાના અકોટામાં રહેતા મહિલા વૃદ્ધે આજે સ્વાઈનફલૂની બિમારીથી અંતિમ શ્વાસ લીધા હતા,તેઓ છેલ્લા એક અઠવાડીયા કરતા પણ વધુ સમયથી બિમાર હતા,તો પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા.સમગ્ર ઘટનાની જાણ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો,તો તંત્ર દ્વારા પણ આસપાસના સ્થાનિકોના સ્વાસ્થ્યની તપાસ હાથધરી છે. ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ વચ્ચે તફાવત ડેન્ગ્યુમાં શરીર પર લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. ફ્લૂમાં તાવ 100 કે 101 ડિગ્રી સુધી રહે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ 104 ડિગ્રી સુધી જાય છે. ડેન્ગ્યુથી ઉલ્ટી અને ઝાડા થાય છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. સિઝનલ ફ્લૂમાં તાવ વધે છે અને ઉતરે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ ચાલુ રહે છે. ડોક્ટરની સલાહ લો જો તમને ફ્લૂના લક્ષણો જણાય છે અને બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે આ સમયે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ સિવાય ટાઈફોઈડના કેસ પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાવના કિસ્સામાં બે દિવસથી વધુ રાહ ન જોવી અને ડેન્ગ્યુ માટે પરીક્ષણ પણ કરાવવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના સમયસર નિદાનથી દર્દીમાં ગંભીર લક્ષણો ઘટાડી શકાય છે.

Vadodara Breaking - વડોદરામાં સ્વાઈનફ્લૂથી બે દર્દીના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 54 વર્ષીય મહિલા અને 6 વર્ષીય બાળકનું મોત
  • મિંઢોળ ગામના બંને દર્દીનું સારવાર દરમિયાન મોત
  • બે દર્દીના મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું

વડોદરાના મિંઢોળ ગામે H1N1 સ્વાઇનફલૂથી બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાની ઘટના બની છે,6 વર્ષીય ત્રિશા વસાવાનું સયાજી હોસ્પિટલમાં મોત તો રંજનબહેન રાઠોડનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે.તો મૃતક બન્ને દર્દીઓએ સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી,મિંઢોળ ગામે આરોગ્ય વિભાગ દ્વારા બે વાર કરવામાં આવી હતી સર્વેની કામગીરી,તો સર્વેની કામગીરી દરમિયાન એક પણ સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો ન હતો,ગ્રામજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

અકોટામાં રહેતા વૃદ્ધનુ પણ થયુ હતુ મોત

વડોદરાના અકોટામાં રહેતા મહિલા વૃદ્ધે આજે સ્વાઈનફલૂની બિમારીથી અંતિમ શ્વાસ લીધા હતા,તેઓ છેલ્લા એક અઠવાડીયા કરતા પણ વધુ સમયથી બિમાર હતા,તો પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા.સમગ્ર ઘટનાની જાણ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો,તો તંત્ર દ્વારા પણ આસપાસના સ્થાનિકોના સ્વાસ્થ્યની તપાસ હાથધરી છે.

ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ વચ્ચે તફાવત

ડેન્ગ્યુમાં શરીર પર લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. ફ્લૂમાં તાવ 100 કે 101 ડિગ્રી સુધી રહે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ 104 ડિગ્રી સુધી જાય છે. ડેન્ગ્યુથી ઉલ્ટી અને ઝાડા થાય છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. સિઝનલ ફ્લૂમાં તાવ વધે છે અને ઉતરે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ ચાલુ રહે છે.

ડોક્ટરની સલાહ લો

જો તમને ફ્લૂના લક્ષણો જણાય છે અને બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે આ સમયે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ સિવાય ટાઈફોઈડના કેસ પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાવના કિસ્સામાં બે દિવસથી વધુ રાહ ન જોવી અને ડેન્ગ્યુ માટે પરીક્ષણ પણ કરાવવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના સમયસર નિદાનથી દર્દીમાં ગંભીર લક્ષણો ઘટાડી શકાય છે.