Vadodara: વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો માર્ગ મોકળો થયો

Feb 13, 2025 - 17:00
Vadodara: વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો માર્ગ મોકળો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની વિશ્વામિત્રી નદીને સાફ, ઊંડી અને પહોળી કરવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર સરકારના વાઈલ્ડ લાઈફ વિભાગે પાલિકાને મગર અને કાચબાને અન્ય સ્થળે ખસેડવા પ્રાથમિક મંજૂરી આપી દેવાઈ છે, પરંતુ મગર પ્રેમીઓ પક્ષમાં નથી.

50 મગર અને 150 કાચબાને અન્ય સ્થળે ખસેડવા આપી મંજૂરી

વડોદરામાં વિનાશક પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવાની માગ ઉઠી હતી, જેને લઈને પાલિકાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ પર લીધો છે, પરંતુ તેને સાફ કે ઊંડી કરવી હોય તો જળચર જીવોને નુકસાન થઈ શકે છે અથવા તેઓ હુમલો કરી શકે છે, જેને લઈને પાલિકાએ તેમને અન્ય સ્થળે ખસેડવા લાઈફ વિભાગ પાસે મંજૂરી માગી હતી. જે ધ્યાને લઈ વાઈલ્ડ લાઈફ વિભાગે પ્રાથમિક રીતે 50 મગર અને 150 કાચબાને અન્ય સ્થળે ખસેડવાની મંજૂરી આપી છે, પરંતુ શરત એ છે કે જળચર જીવોને નુકસાન ન થવું જોઈએ અને ગેરરીતિ ન થવી જોઈએ, નહીં તો આ પરમિશન રદ્દ કરી દેવામાં આવશે.

મગર એક્સપર્ટ અને મગરપ્રેમીઓ આ નિર્ણયનો કરશે વિરોધ

પરંતુ મગર એક્સપર્ટ અને મગર પ્રેમીઓનું કહેવું છે કે નદીમાં હાલ 900 જેટલા મગર છે અને આ મગરો અને કાચબા કે જે નદીને સાફ રાખવામાં મદદરૂપ છે, તેને જ અન્ય સ્થળે કેવી રીતે લઈ જઈ શકાય? અને વાસ્તવિક રીતે પણ આ શક્ય નથી કારણ કે આ જીવોને જો પાંજરામાં મુકાય તો વન વિભાગ પણ કાયદેસર રીતે કઠેરામાં આવે અને જો આ જીવો સાથે અન્યાય થશે તો અમે વિરોધ કરીશું તે વાત નક્કી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0