Vadodara:યાલ ગામ પાસે નાનો પુલ તૂટી પડતા 30 કિ.મીટરનો ફેરો વધ્યો

Jun 26, 2025 - 03:00
Vadodara:યાલ ગામ પાસે નાનો પુલ તૂટી પડતા 30 કિ.મીટરનો ફેરો વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લાના રાજપીપળા દેડિયાપાડા જવાના મુખ્ય માર્ગ પર યાલ ગામ પાસે આવેલ નાનો પુલ ફરી એક વખત તૂટી જતાં રોજના 2 થી 3 હજાર વાહનચાલકોને 30 કિ.મીનો ફેરો ફરવાની નોબત આવી છે. જ્યારે પુલ પાસેના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબુર બન્યા છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા સાથે જોડતાં માર્ગ પર આવેલું યાલ ગામનો પુલ અત્યાર સુધીમાં 3 વખત વરસાદમાં તૂટી ગયો છે. બે વખત પુલના રીપેરિંગ માટે 65 લાખથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. હવે ફરીથી 25 લાખથી વધુનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્ર તરફ્થી આવતાં વાહનો રાજપીપળા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગ પરથી રોજના 2થી 3 હજાર વાહનોની અવરજવર રહે છે. ગત વર્ષે ચોમાસાના પ્રારંભે જ યાલ ગામ પાસેનું પુલ તૂટી જવાથી માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરી દેવાયો. હતો. જેના કારણે વાહનોને નેત્રંગના રસ્તે ડાયવર્ટ કરાતાં 30 કિમીનો ફેરો વધી ગયો હતો. તૂટેલા પુલને નવું બનાવવાને બદલે ભૂંગળા નાખી કામચલાઉ રીપેર કરાયા બાદ નાના વાહનોને પસાર થવાની છૂટ અપાઇ હતી. નાળાનું બાંધકામ તકલાદી અને ભ્રષ્ટાચારથી બનાવેલ નાનો પુલ ચાલુ વર્ષે પહેલાજ વરસાદમાં તૂટી ગયો છે. વારંવાર લોકોની રજૂઆત છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી. તો બીજી બાજુ પુલ નજીકના ગામલોકો 30 કિમીનો ફેરો ન કરવો પડે માટે આ નદીમાં જીવના જોખમે ઉતરી નદી પાર કરી મોવી સુધી ચાલતા આવી રહ્યાં છે રાજપીપળામાં શાળાએ આવતા વિદ્યાર્થીઓ પણ હવે 30 કિમીનો ફેરો ફરી આવવું પડશે. જેમાં તેમનો સમય પણ બગડશે અને અભ્યાસ પણ બગડશે.

પુલ તૂટે ત્યારે તે જોવા નેતાઓ આવે એ શું કામનું જ્યારે કામ ચાલતું હોય છે. ત્યારે દરેકે આવીને એને સારું કામ થાય તે જોવું જોઈએ. ભારે વરસાદી પૂર આવવાના કારણે આ પુલ તૂટયો છે. ચોમાસામાં હજુ શરૂઆતમાં તૂટયો છે. એટલે કે આખા ચોમાસામાં અમારે ફરીને જ આવવું પડશે. સાથે સાથે તે ક્યારે તે બનશે તે હજુ નક્કી નથી. આમ યાલ ગામ એ ભરૂચ જિલ્લામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરને દેડિયાપાડા સાગબારા સાથે જોડતો આ પુલ છે. ત્યારે હવે આ વિસ્તાર તેમજ મહારાષ્ટ્ર તરફ્થી આવતા લોકોએ વાહનોએ ફરી રાજપીપળા આવવા 30 kmએ વધારે ફરીને ભરૂચ જિલ્લાના નેત્રંગ તરફ્થી આવવું પડશે જેના કારણે નાણાં અને સમય બંનેનો વ્યય થશે. - સ્થાનિક ગ્રામીણ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0