Surendranagar: વઢવાણ શહેરમાં 50થી વધુ લોકોનું સ્થળાંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફલો થતા પાણી ભોગાવા નદીમાં વહી રહ્યા છે. ત્યારે હજુ પણ વરસાદની આગાહી હોવાથી ભોગાવા નદીમાં વધુ પાણી આવે તેવી શકયતા છે. આથી ભોગાવાના કાંઠે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાકીદ કરાઈ હતી. જેમાં મંગળવારે સાંજે વઢવાણ પ્રાંત અધીકારીની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 50થી વધુ લોકોને સમજાવી વઢવાણની લાડકીબાઈ કન્યાશાળા ખાતે સુરક્ષીત સ્થળાંતરીત કરાયા હતા. તંત્ર દ્વારા તેઓની ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે.
What's Your Reaction?






