Surendranagar: અમરાપરના બે ભાઈઓએ વૃદ્ધને માર માર્યાની ફરિયાદ

Oct 12, 2025 - 06:00
Surendranagar: અમરાપરના બે ભાઈઓએ વૃદ્ધને માર માર્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાનના મનડાસર ગામે 60 વર્ષીય રાઘવજીભાઈ લવજીભાઈ ચાવડા રહે છે. તા. 6-10ના રોજ તેઓ ગામના દલિત સમાજના સ્મશાન બાજુ બાઈક લઈને આંટો મારવા ગયા હતા. જેમાં સ્મશાન પાસે કોઈએ ધુળના પાળા કરતા સ્મશાનમાં પાણી ભરાઈ ગયુ હતુ. આથી તેઓએ તપાસ કરતા આ પાળા અમરાપરના સુરેશ લઘરાભાઈ કીહલાએ સ્મશાન પાસે ખનીજ ચોરી કરવા વાહન ચલાવવા કર્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. બાદમાં રાઘવજીભાઈ ઘર તરફ જતા હતા ત્યારે સુરેશ લઘરાભાઈ કીહલા અને તેનો ભાઈ ભરત લઘરાભાઈ કીહલા કાર લઈને ઉભા હતા. આથી રાઘવજીભાઈએ તેઓને તમારા વાહન ચલાવવા કરેલ પાળાથી સ્મશાનમાં પાણી ભરાઈ જતુ હોવાથી પાળા તોડવા અને પાણી નીકાલનું કહ્યુ હતુ. જેમાં બન્નેએ ઉશ્કેરાઈને રાઘવજીભાઈને માર મારી જાતિ અપમાનીત કર્યા હતા. અને કારમાંથી બન્ને ધારીયા અને પાઈપ લઈ મારવા દોડતા તેઓ બાઈક મુકી ભાગ્યા હતા. જેમાં બન્નેએ બાઈકને ઘા કરી નુકશાન કર્યુ હતુ. આ અંગે અમરાપરના બંને ભાઈઓ સામે થાન પોલીસ મથકે એટ્રોસીટીની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી એન.કે.પટેલ ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0