Surendranagar News : સુરેન્દ્રનગરના રણનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોચ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર બાળકો, વૃદ્ધો, સગર્ભાઓને કારણ વગર બહાર ન નિકળવા આરોગ્ય વિભાગની અપીલ લૂ લાગે તો ત્વરિત આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપાઈ સૂચના ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે,મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનુ તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે.તો સુરેન્દ્રનગર રણમાં આજનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચતા આરોગ્ય વિભાગ સચેત થયું છે,આરોગ્ય વિભાગ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે હિટ વેવ અંગેની ગાઈડલાઇન જાહેર કરી લોકોને કામ વિના ઘરની બહાર ના જવા માટે આહવાન કર્યું છે બીજી તરફ ઠંડા પીણા, શેરડીના રસનું સેવન વધારે કરવા સૂચના આપી છે. ગરમીના સમયે ORSનો કરો વધુ ઉપયોગ આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને આંબવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે અને ગરમીનો પારો ઊંચે જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને હજુ પણ હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. ત્યારે જો આપ ગરમી કે તડકામાં વધુ ફરી રહ્યા છો તો તમારે ORS લેવું જોઈએ. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન જેમાં મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ, ગ્લુકોઝ હોય છે. જેને ગરમી ચડી જાય ત્યારે તેને શરીરમાં ડી હાઇડ્રેશન થાય છે. એટલે કે પરસેવો થવાથી સોડિયમ પોટેશિયમ કલોરાઇડ મિનરલ્સ વગરે નીકળી જાય છે. તે ઉણપ પૂરી કરવા દર્દીઓ ને ORS આપવામાં આવે છે. વધ્યુ ગરમીનુ પ્રમાણ ORSમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયિમ સાઈટ્રેટ પોટેશનિયમ ક્લોરાઈડ અને ગ્લુકોઝનું કોમ્બિનેશન હોય છે. જો તમે ગરમીમાં મુસાફરી કરતા હો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરતો તો ચોક્કસ પણે ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર નિકળવું જોઈએ નહીં. કોટનના ફુલ સ્લીવના ક્લોથ પહેરવા જોઈએ. ORS ઉપરાંત લીંબુ શરબત, શિકંજી જેવા પીણીનો પણ ઉપયોગ કરવો જોઈએ. ગરમીના સમયમાં નાના બાળકો, કેન્સર, કીડની, પ્રેગનેને્ટ વુમન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. લો ઈમ્યુનિટીના દર્દીઓએ ગરમીમાં વધુ ધ્યાન રાખવું જોઈએ.

Surendranagar News : સુરેન્દ્રનગરના રણનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
  • બાળકો, વૃદ્ધો, સગર્ભાઓને કારણ વગર બહાર ન નિકળવા આરોગ્ય વિભાગની અપીલ
  • લૂ લાગે તો ત્વરિત આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપાઈ સૂચના

ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે,મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનુ તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે.તો સુરેન્દ્રનગર રણમાં આજનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચતા આરોગ્ય વિભાગ સચેત થયું છે,આરોગ્ય વિભાગ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે હિટ વેવ અંગેની ગાઈડલાઇન જાહેર કરી લોકોને કામ વિના ઘરની બહાર ના જવા માટે આહવાન કર્યું છે બીજી તરફ ઠંડા પીણા, શેરડીના રસનું સેવન વધારે કરવા સૂચના આપી છે.

ગરમીના સમયે ORSનો કરો વધુ ઉપયોગ

આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને આંબવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે અને ગરમીનો પારો ઊંચે જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને હજુ પણ હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. ત્યારે જો આપ ગરમી કે તડકામાં વધુ ફરી રહ્યા છો તો તમારે ORS લેવું જોઈએ. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન જેમાં મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ, ગ્લુકોઝ હોય છે. જેને ગરમી ચડી જાય ત્યારે તેને શરીરમાં ડી હાઇડ્રેશન થાય છે. એટલે કે પરસેવો થવાથી સોડિયમ પોટેશિયમ કલોરાઇડ મિનરલ્સ વગરે નીકળી જાય છે. તે ઉણપ પૂરી કરવા દર્દીઓ ને ORS આપવામાં આવે છે.

વધ્યુ ગરમીનુ પ્રમાણ

ORSમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયિમ સાઈટ્રેટ પોટેશનિયમ ક્લોરાઈડ અને ગ્લુકોઝનું કોમ્બિનેશન હોય છે. જો તમે ગરમીમાં મુસાફરી કરતા હો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરતો તો ચોક્કસ પણે ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર નિકળવું જોઈએ નહીં. કોટનના ફુલ સ્લીવના ક્લોથ પહેરવા જોઈએ. ORS ઉપરાંત લીંબુ શરબત, શિકંજી જેવા પીણીનો પણ ઉપયોગ કરવો જોઈએ. ગરમીના સમયમાં નાના બાળકો, કેન્સર, કીડની, પ્રેગનેને્ટ વુમન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. લો ઈમ્યુનિટીના દર્દીઓએ ગરમીમાં વધુ ધ્યાન રાખવું જોઈએ.