Surendranagarમા ચૂંટણી પ્રચાર બંધ થવાના 48 કલાકના સમયગાળાને લઈ અધિક કલેકટરનું જાહેરનામું
સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અને તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો નહી કરાય ભંગ આ જાહેરનામાં અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. તેમજ ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે.આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ – ૧૬૩ની જોગવાઈ મુજબ તા.૧૪.૦૨.૨૦૨૫ થી તા. ૧૬.૦૨.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ – ૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.
![Surendranagarમા ચૂંટણી પ્રચાર બંધ થવાના 48 કલાકના સમયગાળાને લઈ અધિક કલેકટરનું જાહેરનામું](https://epapercdn.sandesh.com/images/2025/02/13/wHMpBIdnDGALXC4uBgdXanxgeaSs9S4V3g4Phc0a.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અને તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો નહી કરાય ભંગ
આ જાહેરનામાં અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. તેમજ ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે.આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ – ૧૬૩ની જોગવાઈ મુજબ તા.૧૪.૦૨.૨૦૨૫ થી તા. ૧૬.૦૨.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાંનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ – ૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.