Surendranagarના બેલીગાડામાં દીપડો દેખાતા 7થી વધુ ગામમાં ફેલાયો ભયનો માહોલ

Sep 24, 2025 - 17:00
Surendranagarના બેલીગાડામાં દીપડો દેખાતા 7થી વધુ ગામમાં ફેલાયો ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના બેલીગાડા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બેલીગાડા, તરકિયા, નારીયેળી, જાનીવડલા, પાંજવાળી સહિત આજુબાજુના 7થી વધુ ગામોના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા માટે અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી બેલીગાડા ગામની સીમમાં દીપડો જોવા મળી રહ્યો છે. આ દીપડો ગામની નજીક પહોંચીને માલઢોરને પણ નુકસાન પહોંચાડી રહ્યો હોવાની ફરિયાદો મળી છે.

ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ગ્રામજનો

આ કારણે ગ્રામજનોમાં પોતાના પશુધનની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે. આ વિસ્તારના ખેડૂતો અને મજૂરો માટે ખેતરોમાં જવું પણ જોખમી બન્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં 10થી વધુ દીપડાઓનો વસવાટ હોવાની શક્યતા છે અને તેઓ વારંવાર ગામોમાં પ્રવેશ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે બાળકો અને સ્થાનિક લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને રાત્રિના સમયે ગામલોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

દીપડાઓને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ

સ્થાનિકોએ વન વિભાગને અનેકવાર જાણ કરી છે અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે દીપડાઓને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવે જેથી તેઓને વસતીવાળા વિસ્તારમાંથી દૂર કરી શકાય. જો વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાનો ભય રહેલો છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને લોકો વહેલી તકે સમસ્યાનું નિવારણ આવે તેવી રાહ જોઈ રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0