Suratમાં નબીરાએ 130ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 2 સગા ભાઈઓના મોત
સુરતમાં ફરી નબીરાએ અકસ્માત સર્જયો છે અને તેમાં બે સગા ભાઈઓના મોત થયા છે,ગઈકાલે આ અકસ્માત સર્જાયો હતો જેમાં પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,કારની સ્પીડ 130 પ્રતિ કલાકની હતી જેમાં અકસ્માતમાં બન્ને સગ્ગા ભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા.અકસ્માતમાં બે સગા ભાઈઓના નિપજ્યા મોત લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે અને પોલીસે સીસીટીવી પણ જપ્ત કર્યા છે,દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જયો છે જેમાં યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી આરોપી ઘરે ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે,જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો 3 આરોપીઓ હજી પણ ફરાર છે.આઉટર રીંગરોડ પર વાલક બ્રિજ પર 130ની સ્પીડે કાર ચલાવી હતી. 130 ની સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જનાર નબીરો યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરી રહયો હતો અને તો એક યુવક-યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરતા હતા તે સમયે બંધ થઈ ગઈ હતી જેથી તેને આ નબીરો કારમાં લઈને ઘરે પરત ફરતો હતો અને અકસ્માત સર્જયો હતો,અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા.પોલીસ દ્વારા તપાસમાં કાર કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી.તમામ લોકો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા. બન્ને ભાઈઓની એક સાથે ઉઠી અર્થી અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![Suratમાં નબીરાએ 130ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 2 સગા ભાઈઓના મોત](https://epapercdn.sandesh.com/images/2025/02/09/6qVQF5hg0UHky12ZU4Fhk5aVe7E1WM0yXdEWIk4w.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ફરી નબીરાએ અકસ્માત સર્જયો છે અને તેમાં બે સગા ભાઈઓના મોત થયા છે,ગઈકાલે આ અકસ્માત સર્જાયો હતો જેમાં પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,કારની સ્પીડ 130 પ્રતિ કલાકની હતી જેમાં અકસ્માતમાં બન્ને સગ્ગા ભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા.
અકસ્માતમાં બે સગા ભાઈઓના નિપજ્યા મોત
લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે અને પોલીસે સીસીટીવી પણ જપ્ત કર્યા છે,દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જયો છે જેમાં યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી આરોપી ઘરે ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે,જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો 3 આરોપીઓ હજી પણ ફરાર છે.આઉટર રીંગરોડ પર વાલક બ્રિજ પર 130ની સ્પીડે કાર ચલાવી હતી.
130 ની સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો
અકસ્માત સર્જનાર નબીરો યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરી રહયો હતો અને તો એક યુવક-યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરતા હતા તે સમયે બંધ થઈ ગઈ હતી જેથી તેને આ નબીરો કારમાં લઈને ઘરે પરત ફરતો હતો અને અકસ્માત સર્જયો હતો,અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા.પોલીસ દ્વારા તપાસમાં કાર કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી.તમામ લોકો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા.
બન્ને ભાઈઓની એક સાથે ઉઠી અર્થી
અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.