Suratના ઉત્રાણમાં લાંચ કેસમાં ફરાર PSI DK ચોસલા એક વર્ષે ઝડપાયો

ઉત્રાણમાં ટ્રાવેલસ કંપનીના માલિક પાસે 10 લાખની લાંચ માગી હતી PSI ચોસલા વતી બે વચોટિયા લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા ACB ટ્રેપની ગંધ આવી જતા PSI ચોસલા ફરાર થઈ ગયો હતો સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ડીકે ચોસલા એક વર્ષે એસીબીના હાથે ઝડપાયો છે,પીએસઆઈ દ્રારા એક વર્ષ અગાઉ ટ્રાવેલસ કંપનીના માલિક પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી અને આ કેસમાં બે વચેટિયા ઝડપાયા હતા અને પીએસઆઈ ફરાર થઈ ગયો હતો,ત્યારે આજે પીએસઆઈ ચોસલા એક વર્ષે ઝડપાયો હતો. શું હતો સમગ્ર કેસ ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.ચોસલા પોતાના અન્ય બે સાગરીત સાથે 10 લાખ રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબીના હાથે ઝડપાયા હતા. આ ઘટનામાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી ઉપર જાણવા જોગ એન્ટ્રી નંબરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલા કરી રહ્યા હતા. આરોપી પીએસઆઈ દ્વારા ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી જાણવા જોગના કામે ફરીયાદીનું નિવેદન લઇ એપલ આઇફોન-13 જમા લઇ લીધો હતો અને આ સમગ્ર કેસમાં ઢીલી તપાસ કરવાને લઈ પીએસઆઈ દ્રારા રૂપિયા 10 લાખની લાંચ માગવામાં આવી હતી. લાંચની માગી મોટી રકમ સમગ્ર ઘટનામાં વડોદરા એસીબીએ ગુનો નોંધ્યો હતો,પીએસઆઈ દ્રારા ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે જો અન્ય ગુનામાંથી બચવું હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે તો ફરિયાદી પાસે રૂપિયા ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો,તો વચેટિયા દ્રારા લાંચની રકમ સ્વીકારાતા સમગ્ર ઘટનાને લઈ એસીબીએ ધરપકડ કરી હતી. અધિકારીઓ સામે લેવાઈ શકે છે પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Suratના ઉત્રાણમાં લાંચ કેસમાં ફરાર PSI DK ચોસલા એક વર્ષે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્રાણમાં ટ્રાવેલસ કંપનીના માલિક પાસે 10 લાખની લાંચ માગી હતી
  • PSI ચોસલા વતી બે વચોટિયા લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા
  • ACB ટ્રેપની ગંધ આવી જતા PSI ચોસલા ફરાર થઈ ગયો હતો

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ડીકે ચોસલા એક વર્ષે એસીબીના હાથે ઝડપાયો છે,પીએસઆઈ દ્રારા એક વર્ષ અગાઉ ટ્રાવેલસ કંપનીના માલિક પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી અને આ કેસમાં બે વચેટિયા ઝડપાયા હતા અને પીએસઆઈ ફરાર થઈ ગયો હતો,ત્યારે આજે પીએસઆઈ ચોસલા એક વર્ષે ઝડપાયો હતો.

શું હતો સમગ્ર કેસ

ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.ચોસલા પોતાના અન્ય બે સાગરીત સાથે 10 લાખ રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબીના હાથે ઝડપાયા હતા. આ ઘટનામાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી ઉપર જાણવા જોગ એન્ટ્રી નંબરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલા કરી રહ્યા હતા. આરોપી પીએસઆઈ દ્વારા ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી જાણવા જોગના કામે ફરીયાદીનું નિવેદન લઇ એપલ આઇફોન-13 જમા લઇ લીધો હતો અને આ સમગ્ર કેસમાં ઢીલી તપાસ કરવાને લઈ પીએસઆઈ દ્રારા રૂપિયા 10 લાખની લાંચ માગવામાં આવી હતી.

લાંચની માગી મોટી રકમ

સમગ્ર ઘટનામાં વડોદરા એસીબીએ ગુનો નોંધ્યો હતો,પીએસઆઈ દ્રારા ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે જો અન્ય ગુનામાંથી બચવું હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે તો ફરિયાદી પાસે રૂપિયા ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો,તો વચેટિયા દ્રારા લાંચની રકમ સ્વીકારાતા સમગ્ર ઘટનાને લઈ એસીબીએ ધરપકડ કરી હતી.

અધિકારીઓ સામે લેવાઈ શકે છે પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.