Surat News: લાંચના ગુનાનો ફરાર આરોપી પત્રકાર મહંમદ ઇસ્માઇલ પઠાણ ઝડપ્યો

Jul 15, 2026 - 22:30
Surat News:  લાંચના ગુનાનો ફરાર આરોપી પત્રકાર મહંમદ ઇસ્માઇલ પઠાણ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત ACB પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાંચના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા પત્રકાર મહંમદ ઇસ્લામ પઠાણની ધરપકડ કરી છે.સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે મળીને લાખો રૂપિયાની તોડબાજી કરવાના આ હાઈપ્રોફાઈલ કેસમાં પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તે નાસતો ફરતો હતો, જેને આખરે એસીબીની ટીમે દબોચી લીધો છે.

મનપાના કાર્યપાલક ઇજનેર સાથે મળીને રચ્યું હતું કાવતરું

આ ચકચારી કેસની વિગત એવી છે કે,ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત મનપાના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 4 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ફરિયાદીનું ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે મનપા અધિકારી વિપુલ ગણેશવાલા અને પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ વચ્ચે મિલીભગત રચાઈ હતી.આ બંનેના મેળાપીપળામાં ફરિયાદી પાસે બાંધકામ બચાવવાના અવેજ પેટે કુલ ₹૧૫ લાખની મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી.

પાંચ મહિનાથી ફરાર આરોપી પત્રકાર આખરે જેલભેગો

ફેબ્રુઆરી મહિનામાં જ્યારે એસીબીએ ટ્રેપ ગોઠવીને મનપા ઇજનેરને ઝડપી પાડ્યા,તે જ સમયે પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો.પોલીસ ત્યારથી જ તેની સઘન શોધખોળ કરી રહી હતી.આખરે એસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ફરાર પત્રકારની ધરપકડ કરી લીધી છે અને આ મનપા-પત્રકારની નેક્સસમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: આજે મધરાતથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક પ્રતિબંધ અમલમાં, જાણો વૈકલ્પિક માર્ગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0