Surat News: ઓલપાડમાં યોજાઇ જાહેર સભા, રાજ્યમંત્રીએ ભ્રષ્ટાચારીઓને લીધા આડે હાથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં રાજ્યમંત્રી ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા હતા. ઓલપાડમાં યોજાયેલી વાર્ષિક સભામાં મુકેશ પટેલે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેઓએ ભ્રષ્ટાચારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને ખેડૂતો માટે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જાહેર મંચ પરથી જણાવ્યુ હતુ કે, કોઈ વ્યક્તિ ખેડૂતના રુપિયા ખાશે તે નહિ ચાલે. 1 રુપિયો ખાદ્યો હોય કે 5 લાખ રૂપિયા લીધા હોય. હું કોઈને છોડવાનો નથી.
રાજ્યમંત્રીનું જાહેર મંચ પરથી નિવેદન
ખેડૂતોના હક માટે દરેક જગ્યાએ વાત થતી હોય છે. ત્યારે એવા કેટલાયે કિસ્સા બનતા હશે જેમાં ખેડૂતોને ન્યાય માટે ધક્કા ખાવા પડે છે. ત્યારે રાજ્યમંત્રી મુકેશ પટેલે ખેડૂતો માટે પોતાનો અવાજ ઉંચો કર્યો છે. ઓલપાડમાં જાહેર સભા યોજાઇ હતી. આ જાહેર સભામાં તેઓે હુંકાર કર્યો હતો. અને ખેડૂતો માટે પોતાની નીતિ દર્શાવી હતી. રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતુ કે, જો કોઇ ખેડૂતોના રૂપિયા ખાશે તો તે નહી ચાલે. મારે કોઈ સહકારી મંડળીમાં જવું નથી. મુકેશ પટેલે વધુમાં કહ્યુ હતુ કે, ‘1 રુ ખાદ્યો હોય કે 5 લાખ, હું કોઈને છોડવાનો નથી’, ‘ખેડૂત મહેનત કરે અને ડિરેક્ટર પૈસા ખાય એ ન ચાલે’.
ખેડૂતોની મહેનત માટે સમર્થન
ઓલપાડમાં યોજાયેલી સભામાં મુકેશ પટેલનું નિવેદન ખેડૂતો માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. તેઓએ જનમેદનીને સંબોધતા વધુમાં કહ્યુ હતુ કે, ઓડિટિંગ ચાલુ છે, હજી ઘણું બધું બહાર આવશે. તેઓએ આડકરતી રીતે પૈસાના લોભીઓ પર કટાક્ષ કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, મને ભગવાને ઘણું બધુ આપ્યું, હું સેવા કરવા માટે આવ્યો છું. ઓલપાડમાં 700 ખાતર ગુણોની ઉચ્ચાપત સામે આવી હતી. જેનો ઉલ્લેખ પણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કર્યો હતો.
What's Your Reaction?






