Suratમાં 130ની ઝડપે કાર ચલાવી 2 લોકોને મોતને ઘાટ ઉતારનાર રાક્ષસ ઝડપાયો
સુરતમાં ફરી નબીરાએ અકસ્માત સર્જયો છે અને તેમાં બે સગા ભાઈઓના મોત થયા છે,ગઈકાલે આ અકસ્માત સર્જાયો હતો જેમાં પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે જેમાં રફતારના મુખ્ય આરોપી કીર્તન ડાખરની ધરપકડ કરવામાં આવી છે,રફતારના રાક્ષસ કીર્તન ડાખરાએ મગરના આંસુ સાર્યા હતા અને મીડિયા સમક્ષ હાથ જોડયા હતા. સંદેશ ન્યૂઝ સમક્ષ રફતારના રાક્ષસે માંગી માફી સુરતમાં કારનો અકસ્માત કરી બે લોકોને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાની પોલીસે ધરપકડ કરી છે,અકસ્માતના 24 કલાક બાદ રફતારનો રાક્ષસ પકડાયો છે જેમાં સામે આવ્યું છે કે,કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપે હતી જેમાં આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે.કારમાં સવારે 2 આરોપીઓ ઝડપાયા છે જયારે અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી ફરાર છે.કારમાં બેઠેલી યુવતીને લસકાણા પોલીસે કરી ડિટેઈન તો યુવતીને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,નશો કર્યો છે કે નહીં તે બાદ પોલીસ કરશે કાર્યવાહી. 130 ની સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જનાર નબીરો યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરી રહયો હતો અને તો એક યુવક-યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરતા હતા તે સમયે બંધ થઈ ગઈ હતી જેથી તેને આ નબીરો કારમાં લઈને ઘરે પરત ફરતો હતો અને અકસ્માત સર્જયો હતો,અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા.પોલીસ દ્વારા તપાસમાં કાર કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી.તમામ લોકો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા. બન્ને ભાઈઓની એક સાથે ઉઠી અર્થી અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![Suratમાં 130ની ઝડપે કાર ચલાવી 2 લોકોને મોતને ઘાટ ઉતારનાર રાક્ષસ ઝડપાયો](https://epapercdn.sandesh.com/images/2025/02/09/pt8tsbTvmO7FGRv9PFcBqTJVrWb1Thpk76LMFIcV.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ફરી નબીરાએ અકસ્માત સર્જયો છે અને તેમાં બે સગા ભાઈઓના મોત થયા છે,ગઈકાલે આ અકસ્માત સર્જાયો હતો જેમાં પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે જેમાં રફતારના મુખ્ય આરોપી કીર્તન ડાખરની ધરપકડ કરવામાં આવી છે,રફતારના રાક્ષસ કીર્તન ડાખરાએ મગરના આંસુ સાર્યા હતા અને મીડિયા સમક્ષ હાથ જોડયા હતા.
સંદેશ ન્યૂઝ સમક્ષ રફતારના રાક્ષસે માંગી માફી
સુરતમાં કારનો અકસ્માત કરી બે લોકોને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાની પોલીસે ધરપકડ કરી છે,અકસ્માતના 24 કલાક બાદ રફતારનો રાક્ષસ પકડાયો છે જેમાં સામે આવ્યું છે કે,કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપે હતી જેમાં આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે.કારમાં સવારે 2 આરોપીઓ ઝડપાયા છે જયારે અન્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી ફરાર છે.કારમાં બેઠેલી યુવતીને લસકાણા પોલીસે કરી ડિટેઈન તો યુવતીને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,નશો કર્યો છે કે નહીં તે બાદ પોલીસ કરશે કાર્યવાહી.
130 ની સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો
અકસ્માત સર્જનાર નબીરો યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરી રહયો હતો અને તો એક યુવક-યુવતી ઈલેક્ટ્રીક બાઈક પર પરત ફરતા હતા તે સમયે બંધ થઈ ગઈ હતી જેથી તેને આ નબીરો કારમાં લઈને ઘરે પરત ફરતો હતો અને અકસ્માત સર્જયો હતો,અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયા હતા.પોલીસ દ્વારા તપાસમાં કાર કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી.તમામ લોકો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયા હતા.
બન્ને ભાઈઓની એક સાથે ઉઠી અર્થી
અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.