Sukhsar:ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા અને સુખસરના બજારો સ્વૈચ્છિક બંધ રહ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ખાતે ગત તા.21ના રોજ નવી વસાહત ખાતે ગૌહત્યા કરી તેના માંસનો વેપલો કરતો હોવાનો પર્દાફાશ બજરંગ દળના કાર્યકરોએ કર્યો હતો. ગૌહત્યાના વિરોધમાં અને ગામમાં ધમધમતાં કતલખાના બંધ કરાવવા વિહિપ, બજરંગ દળ તથા ગૌરક્ષક દળના સભ્યોએ આજે ફતેપુરા તાલુકા બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે આજે ફતેપુરા અને સુખસરમાં વેપારીઓ, ધંધાદારીઓએ ધંધા રોજગાર બંધ રાખતાં બજારો સજ્જડ બંધ રહ્યા હતાં.
ફતેપુરા તાલુકામાં ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા વિહિપ, ગૌરક્ષક દળ તથા બજરંગ દળના સભ્યો દ્વારા 28 મેના રોજ સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેમાં આજરોજ ફ્તેપુરા, બલૈયા, સુખસરમાં વેપારીઓ તથા ધંધાદારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતાં. દરમિયાન મુખ્ય આરોપી સલમાન અબ્દુલ હક મતાદારને ગતરોજ તથા ઇમરાન અબ્દુલ ભાભોરને પોલીસે ઝડપી લીધા હતાં.
What's Your Reaction?






