Sarangpur News : શ્રી કષ્ટભંનજનદેવનો 177મો વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો

Oct 12, 2025 - 08:30
Sarangpur News : શ્રી કષ્ટભંનજનદેવનો 177મો વાર્ષિક પાટોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તા:11-10-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને વૃન્દાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી લાલજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી.

સાથોસાથ મંદિર પાસે આવેલ પ્રસાદીની છત્રીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ

આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭ વાર્ષિક પાટોત્સવ છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલદેશ પિઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં અને ગુરૂવર્ય અથાણાવાળા સ્વામી, વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીનાં આશીર્વાદથી અનેચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી- લોજવાળાની સ્મૃતિમાં શ્રીકષ્ટભંજનદેવનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૧ના આસો વદ-૫, તારીખ:11-10-2025ને શનિવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. સાથોસાથ મંદિર પાસે આવેલ પ્રસાદીની છત્રીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.

સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી

હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા” નું આયોજન તા. ૦૯-૧૦-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર દરમિયાન કથા સમય : સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ કલાકે, બપોરે ૪:૦૦ થી ૬:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તા.૯મીના ગુરૂવારે બપોરે ચાર વાગે નિલકંઠ મહાદેવ મંદિરથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર મંદિર-પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાજ એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં ધામેધામથી પધારેલ બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0