Salangpur: સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો

Feb 11, 2025 - 13:00
Salangpur: સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં મંગળવારે કષ્ટભંજન દેવ દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે હનુમાનજી દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.

 સાળંગપુરનું નામ આવે એટેલ શ્રીકષ્ટભંજન દેવનું નામ પહેલા આવે. આજે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે. ત્યારે ગુજરાતી જાગરણ આજે તમને સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે આજે સવારે 5:30 વાગ્યે પૂજારી સ્વામી મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

કષ્ટભંજન હનુમાનદાદાનો ઇતિહાસ

કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત 1904માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ 200 સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત 1905ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0