Sabarkantha News: સાબરકાંઠામાં નદી વચ્ચે ફસાયેલા પરિવારનું ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યૂ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે ધરોઈમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ હરણાવ નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાંચ બાળકો સહિત 17 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ઈડર ફાયર બ્રિગેડ ટીમે પરિવારનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. હરણાવ નદીના ધસમસતા પ્રવાહમાં પરિવાર ફસાયો હતો.
ઈડર ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
આ પરિવારને બચાવવા માટે સવારે છ વાગ્યે ઓપરેશન હાથ ધરાયું હતું. ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે હરણાવ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદીની વચ્ચે બાળકો સાથે પરિવાર ફસાયો હતો. એનડીઆરએફ, સહિત ઈડર ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ જવાનોએ પરિવારનું સફળ રેસ્ક્યુ કરતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. હરણાવ તેમજ ખેડવા જળાશય માંથી પાણી છોડાઈ રહ્યું છે.
What's Your Reaction?






