Sabarkantha : વડાલીમાં વેપારી સાથે છેતરપિંડી, સોનાની લાલચમાં 1.35 લાખ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં વિશ્વાસઘાત કરી ઠગાઈનો વધુ એક કેસ સામે આવ્યો છે. વેપારી સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. વડાલીમાં કરોડપતિ બનવાનું સપનું વેપારીને મોંઘુ પડયું. કરોડપતિની બનવાની લાલચમાં વેપારી સાથે મોટી છેતરપિંડી થઈ. વેપારીએ સોનાની લાલચમાં 1.35 લાખ ગુમાવ્યા. કરોડપતિ બનવા વેપારીએ એક લાખનો સોદો કર્યો હતો અને કરોડો રૂપિયા તો ના મળ્યા પણ પૈસા ગુમાવ્યા.
વેપારીને કરોડપતિ બનવાનો સોદો મોંઘો પડયો
વેપારીને કરોડપતિ બનવાનો સોદો પાંચ લાખમાં મોંઘો પડ્યો. છેતરપિંડી થયાનું માલૂમ થતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મળતી માહિતી મુજબ વડાલીમાં એક વેપારી ચોળાફળીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન કરે છે. દરમિયાન આ વેપારીની ત્રણ શખ્સ સાથે મુલાકાત થઈ. આ લોકોએ વેપારીને કહ્યું કે જમીનમાંથી સોનાનો ચરુ મળ્યો છે. તમે સોનાના ચરુમાંથી દાગીના બનાવી શકશો. જો તમારે કરોડપતિ બનવું હોય તો અમને 1 એક લાખ રૂપિયા આપો.
અસલી સોનાની જગ્યાએ નકલી સોનું પધરાવ્યું
ચોળાફળીનું વેચાણ કરનાર વેપારી આ ત્રણ શખ્સના ઇરાદાથી અજાણ હતો. આ ત્રણ શખ્સોએ વેપારીને કરોડપતિ બનાવશે તેવો વિશ્વાસમાં લઈ લાલચ આપી. હતી. અને તેમાં વેપારી ભેરવાયો. વેપારીએ આ લોકો પર વિશ્વાસ રાખી તેમને 1.35 લાખ રૂપિયા આપ્યા. વેપારીએ રૂપિયા આપ્યા બાદ આ લોકોએ તેને અસલી સોનાની જગ્યાએ નકલી સોનું પધરાવ્યું. વેપારીએ સોનાની લાલચમાં પોતાની બચત કરેલ મૂડી પણ ગુમાવી. છેતરપિંડી મામલે વેપારી રામદેવે 3 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ કરી. સમગ્ર મામલે પોલીસે વેપારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
What's Your Reaction?






