RathYatra 2025: આધુનિક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાનગી ડ્રોન અંગે પોલીસ તપાસ શરુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં જગન્નાથ મંદિરમાંથી મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ છે. રથયાત્રાના રૂટ પરના 15 ડ્રોનનું લાઈવ મોનિટરીંગ હાથ ધરાયુ છે. મંદિર સહિતની જગ્યા પર ભીડ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હાઇટેક સિક્યોરીટીમાં ધ્યાન ખેંચે એવી એક બાબત સામે આવી છે.
ડ્રોન ક્યાંથી આવ્યુ અને ક્યાં ગયુ ?
જગન્નાથ મંદિર પાસે એક ડ્રોન જે પોલીસની નોંધણી સિવાયનું હતું. તે અંગે પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે. ખાનગી ડ્રોન ઉડતું હતું તે ડિટેક્ટ પણ થયું હતું. પરંતુ તેને તોડી પાડવા અથવા તો પકડવામાં આવે તે પહેલા પાછું જતું રહ્યું હતુ. હવે આ ડ્રોન વિશે તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે. કોઇ અનિચ્છનીય ઘટના ન થયા તે માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. અમદાવાદની રાથયાત્રામાં હાઇટેક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસ ભીડનું સંચાલન કરવા માટે AI-સંચાલિત સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે.
રથયાત્રા માટે પોલીસની ખાસ તૈયારી
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગદોડ જેવી પરિસ્થિતિને રોકવા માટે પોલીસ વિભાગે ખાસ તૈયારી કરી છે. ભીડનું સંચાલન કરવા માટે ડ્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. આ રથયાત્રામાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ એકત્ર થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ AI-સંચાલિત વિઝ્યુઅલ એનાલિટિક્સ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે. ડ્રોન અને એઆઇના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ છે.
What's Your Reaction?






