Rajkotમાં ઈ-મોપેડનો ઉપયોગ કરનારા થઈ જાવ સાવધાન, ચાર્જિંગ વખતે થયો મોટો ધડાકો

લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે,રાજકોટમાં પણ કંઈક આવી જ ઘટના બની છે,જેમાં સ્કૂટરને ચાર્જીગમાં મૂકયું હતુ તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા વ્હીકલ બળીને ખાખ થયું હતુ.જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘરમાં થયું નુકસાન રાજકોટમાં ઈલેકટ્રીક સ્કૂટરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે,વાહન જયારે ચાર્જિંગમાં હતુ તે દરમિયાન બ્લાસ્ટ થતા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા,અને જે ઘરની બહાર આ વાહન ચાર્જિંગ કરવા મૂકયું હતુ તે ઘરમાં પણ નુકસાન થયું હતુ.ઘરનું વાયરીંગ બળીને ખાખ થઈ ગયું છે તેમજ ઘરમાં રહેલા વાસણો પણ નીચે પડયા હતા.આઠ મહિના પહેલા આ વ્હીકલ ખરીદવામાં આવ્યું હતુ.જો કે કોઈ જાનહાની ના થતા તેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 15 મે 2024ના રોજ બનાસકાંઠામાં ઈ-મોપેડની બેટરી ફાટી લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે, બનાસકાંઠાના ડીસામાં બેટરીથી ચાલતી જાણીતી કંપનીની સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે ધડાકાભેર થયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા. જોકે ચાર્જિંગ દરમિયાનના બેટરી ફૂટી હોવાથી તેની નજીક કોઈ ન હોવાથી નસીબ જોગે જાનહાની ટળી હતી. પરંતુ આવા બેટરીથી ચાલતા વાહનો કેટલા સુરક્ષિત છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

Rajkotમાં ઈ-મોપેડનો ઉપયોગ કરનારા થઈ જાવ સાવધાન, ચાર્જિંગ વખતે થયો મોટો ધડાકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે,રાજકોટમાં પણ કંઈક આવી જ ઘટના બની છે,જેમાં સ્કૂટરને ચાર્જીગમાં મૂકયું હતુ તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા વ્હીકલ બળીને ખાખ થયું હતુ.જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ઘરમાં થયું નુકસાન

રાજકોટમાં ઈલેકટ્રીક સ્કૂટરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે,વાહન જયારે ચાર્જિંગમાં હતુ તે દરમિયાન બ્લાસ્ટ થતા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા,અને જે ઘરની બહાર આ વાહન ચાર્જિંગ કરવા મૂકયું હતુ તે ઘરમાં પણ નુકસાન થયું હતુ.ઘરનું વાયરીંગ બળીને ખાખ થઈ ગયું છે તેમજ ઘરમાં રહેલા વાસણો પણ નીચે પડયા હતા.આઠ મહિના પહેલા આ વ્હીકલ ખરીદવામાં આવ્યું હતુ.જો કે કોઈ જાનહાની ના થતા તેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

15 મે 2024ના રોજ બનાસકાંઠામાં ઈ-મોપેડની બેટરી ફાટી

લોકોમાં ઈ-વ્હિકલ ખરીદવાનું ચલણ વધી રહ્યું છે, બેટરી સંચાલિત આ વાહનો પેટ્રોલ-ડિઝલના પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી લોકો તે ખરીદવા માટે તલપાપડ હોય છે. જો કે આ ઈ-વ્હિકલ ક્યારેક જોખમી બની શકે છે, બનાસકાંઠાના ડીસામાં બેટરીથી ચાલતી જાણીતી કંપનીની સ્કુટીની બેટરીમાં ચાજિંગ સમયે ધડાકાભેર થયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા. જોકે ચાર્જિંગ દરમિયાનના બેટરી ફૂટી હોવાથી તેની નજીક કોઈ ન હોવાથી નસીબ જોગે જાનહાની ટળી હતી. પરંતુ આવા બેટરીથી ચાલતા વાહનો કેટલા સુરક્ષિત છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બેટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઈલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે. તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે. જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. ત્યારે આજનો આ કિસ્સો ઈ બાઈક વાપરતા લોકો માટે લાલબત્તી સમાન છે.