Rajkotનો યુવાન સાયબર ગઠિયા પર ભારે પડ્યો, ગઠિયાનું જ કરી લીધું સ્ટીંગ

સાયબર માફિયાઓ અલગ અલગ કિમિયાઓ દ્વારા લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી તેના પાસે મોટા પ્રમાણમાં રૂપિયા પડાવતા હોય છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે અલગ અલગ કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યા છે.પરંતુ ભેજાબાજ સાયબર માફિયાઓ પાસે એવા પ્રકારના કીમિયા હોય છે કે જેની માયાજાળમાં અનેક લોકો આવી જાય છે. ત્યારે હાલમાં ડિજિટલ એરેસમેન્ટના નામે અનેક લોકોના લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના યુવાને ડિજિટલ એરેસમેન્ટના નામે સાયબર માફિયાઓની કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે તે સમગ્ર બાબતનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તમારું સીમકાર્ડ ત્રણથી ચાર કલાકમાં બંધ થશે રાજકોટનો વિજય ગજેરા નામના યુવાનને ટ્રાયના નામથી ફોન આવ્યો હતો કે તમારું સીમકાર્ડ ત્રણથી ચાર કલાકમાં બંધ થવાનું છે, આ બાબતે તમારે જનપ્રતિનિધિ સાથે સંપર્ક કરવો હોય તો નવ નંબરનું બટન દબાવવાનું રહેશે, ત્યારબાદ જનસંપર્ક અધિકારીએ તમારું નામ મની લોન્ડ્રિંગ કેસમાં હોવાથી તમારું કાર્ડ બંધ કરવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મેળવી હોય તો તમારા ફોનને પોલીસ અધિકારી સમક્ષ ટ્રાન્સફર કરી આપુ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં તમારા ત્રણ બેંક ખાતાનો ઉપયોગ થયો છે પોલીસ અધિકારીને જ્યારે ફોન ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે ત્યાં એક આખું કંટ્રોલ રૂમનું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હોય છે, જ્યાં વીડિયો કોલના મારફતે ખાખી કલરના કપડામાં ડુપ્લીકેટ પોલીસની અવરજવર બતાવવામાં આવતી હોય છે તેમજ વાયરલેસના અવાજ પણ સંભળાવતા હોય છે. ત્યારબાદ આ સાયબર માફિયાઓ વીડિયો કોલના માધ્યમથી પોતાના ફ્રોડનો શિકાર બનનારને એક રૂમમાં જવાનું કહે છે અને ત્યાં 360 ડિગ્રી કેમેરો બતાવવાનું કહે છે કે તે રૂમમાં તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે કે નહીં ત્યારબાદ પોલીસ અધિકારી જણાવે છે કે તમારા આધાર કાર્ડથી અલગ અલગ ત્રણ બેંકમાં ખાતા છે અને આ ખાતા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ઉપયોગ થયો છે. ત્યારબાદ પોલીસ અધિકારી જણાવે છે કે તમારે કેટલા બેંક ખાતા છે? યુપીઆઈ કે નેટબેન્કિંગથી કયા કયા વ્યવહારો કર્યા છે? તે તમામ બાબતની માહિતી મેળવી લે છે. લાખો રૂપિયા ઈડી વોલેટના નામે ખંખેરે છે તમામ પ્રકારની માહિતી મેળવી લીધા બાદ પોલીસ અધિકારી તેના ઉપરી અધિકારી તરીકે એસીપી, ડીસીપી સહિતના સાથે વાત કરાવે છે અને તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં જોડાયું છે અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિમાં છે, જેથી તમે મોટા ગુનેગાર છો અને તાત્કાલિક તમારી ધરપકડ કરવામાં આવશે. જો આ ધરપકડથી બચવું હોય તો તમારે અમુક નક્કી કરાયેલા રૂપિયા ઈડીનું જે વોલેટ છે તેમાં ટ્રાન્સફર કરવાના રહેશે તમે નિર્દોષ નીકળશો તો આ તમામ રૂપિયા તમને ઈડી કે ભારત સરકાર પરત આપી દેશે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી દરરોજના કેટલાય લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવે છે, જેથી રાજકોટના યુવાને લોકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ફ્રોડનો શિકાર ન બને તે હેતુથી આ સમગ્ર ઘટનાનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. કાયદામાં ડિજિટલ એરેસમેન્ટની જોગવાઈ જ નથી ડિજિટલ એરેસમેન્ટનું સ્ટીંગ ઓપરેશન કરનાર રાજકોટના યુવાન વિજય ગજેરાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં આપણા બંધારણમાં અને કાયદામાં ક્યાંય પણ ડિજિટલ એરેસમેન્ટ નામની જોગવાઈ જ નથી તો લોકોએ જાગૃત થવું જરૂરી છે. સાયબર માફિયાઓ જ્યારે તમારા પાસેથી ઓનલાઈન ફરિયાદ કે જુબાની લેવાનો આગ્રહ રાખે તો તરત જ નજીકના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ઉપરાંત ટ્રાય ક્યારેય પણ તમારું સીમકાર્ડ બંધ થઈ જવાનું છે તે પ્રકારનો ફોન કરતું નથી, આવા અનેક પ્રકારના સાયબર માફિયાઓના કીમિયાઓથી લોકોએ જાગૃત થવું જરૂરી છે.

Rajkotનો યુવાન સાયબર ગઠિયા પર ભારે પડ્યો, ગઠિયાનું જ કરી લીધું સ્ટીંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયબર માફિયાઓ અલગ અલગ કિમિયાઓ દ્વારા લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી તેના પાસે મોટા પ્રમાણમાં રૂપિયા પડાવતા હોય છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે અલગ અલગ કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યા છે.

પરંતુ ભેજાબાજ સાયબર માફિયાઓ પાસે એવા પ્રકારના કીમિયા હોય છે કે જેની માયાજાળમાં અનેક લોકો આવી જાય છે. ત્યારે હાલમાં ડિજિટલ એરેસમેન્ટના નામે અનેક લોકોના લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના યુવાને ડિજિટલ એરેસમેન્ટના નામે સાયબર માફિયાઓની કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે તે સમગ્ર બાબતનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે.

તમારું સીમકાર્ડ ત્રણથી ચાર કલાકમાં બંધ થશે

રાજકોટનો વિજય ગજેરા નામના યુવાનને ટ્રાયના નામથી ફોન આવ્યો હતો કે તમારું સીમકાર્ડ ત્રણથી ચાર કલાકમાં બંધ થવાનું છે, આ બાબતે તમારે જનપ્રતિનિધિ સાથે સંપર્ક કરવો હોય તો નવ નંબરનું બટન દબાવવાનું રહેશે, ત્યારબાદ જનસંપર્ક અધિકારીએ તમારું નામ મની લોન્ડ્રિંગ કેસમાં હોવાથી તમારું કાર્ડ બંધ કરવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મેળવી હોય તો તમારા ફોનને પોલીસ અધિકારી સમક્ષ ટ્રાન્સફર કરી આપુ.

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં તમારા ત્રણ બેંક ખાતાનો ઉપયોગ થયો છે

પોલીસ અધિકારીને જ્યારે ફોન ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે ત્યાં એક આખું કંટ્રોલ રૂમનું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હોય છે, જ્યાં વીડિયો કોલના મારફતે ખાખી કલરના કપડામાં ડુપ્લીકેટ પોલીસની અવરજવર બતાવવામાં આવતી હોય છે તેમજ વાયરલેસના અવાજ પણ સંભળાવતા હોય છે. ત્યારબાદ આ સાયબર માફિયાઓ વીડિયો કોલના માધ્યમથી પોતાના ફ્રોડનો શિકાર બનનારને એક રૂમમાં જવાનું કહે છે અને ત્યાં 360 ડિગ્રી કેમેરો બતાવવાનું કહે છે કે તે રૂમમાં તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે કે નહીં ત્યારબાદ પોલીસ અધિકારી જણાવે છે કે તમારા આધાર કાર્ડથી અલગ અલગ ત્રણ બેંકમાં ખાતા છે અને આ ખાતા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ઉપયોગ થયો છે. ત્યારબાદ પોલીસ અધિકારી જણાવે છે કે તમારે કેટલા બેંક ખાતા છે? યુપીઆઈ કે નેટબેન્કિંગથી કયા કયા વ્યવહારો કર્યા છે? તે તમામ બાબતની માહિતી મેળવી લે છે.

લાખો રૂપિયા ઈડી વોલેટના નામે ખંખેરે છે

તમામ પ્રકારની માહિતી મેળવી લીધા બાદ પોલીસ અધિકારી તેના ઉપરી અધિકારી તરીકે એસીપી, ડીસીપી સહિતના સાથે વાત કરાવે છે અને તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં જોડાયું છે અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિમાં છે, જેથી તમે મોટા ગુનેગાર છો અને તાત્કાલિક તમારી ધરપકડ કરવામાં આવશે. જો આ ધરપકડથી બચવું હોય તો તમારે અમુક નક્કી કરાયેલા રૂપિયા ઈડીનું જે વોલેટ છે તેમાં ટ્રાન્સફર કરવાના રહેશે તમે નિર્દોષ નીકળશો તો આ તમામ રૂપિયા તમને ઈડી કે ભારત સરકાર પરત આપી દેશે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી દરરોજના કેટલાય લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવે છે, જેથી રાજકોટના યુવાને લોકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ફ્રોડનો શિકાર ન બને તે હેતુથી આ સમગ્ર ઘટનાનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું.

કાયદામાં ડિજિટલ એરેસમેન્ટની જોગવાઈ જ નથી

ડિજિટલ એરેસમેન્ટનું સ્ટીંગ ઓપરેશન કરનાર રાજકોટના યુવાન વિજય ગજેરાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં આપણા બંધારણમાં અને કાયદામાં ક્યાંય પણ ડિજિટલ એરેસમેન્ટ નામની જોગવાઈ જ નથી તો લોકોએ જાગૃત થવું જરૂરી છે. સાયબર માફિયાઓ જ્યારે તમારા પાસેથી ઓનલાઈન ફરિયાદ કે જુબાની લેવાનો આગ્રહ રાખે તો તરત જ નજીકના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ઉપરાંત ટ્રાય ક્યારેય પણ તમારું સીમકાર્ડ બંધ થઈ જવાનું છે તે પ્રકારનો ફોન કરતું નથી, આવા અનેક પ્રકારના સાયબર માફિયાઓના કીમિયાઓથી લોકોએ જાગૃત થવું જરૂરી છે.