રાજકોટનું હીરાસર એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે જેમાં એરપોર્ટની નબળી કામગીરી પોલ ફરી ખુલી છે, ટર્મિનલની છતમાંથી પાણી ટપકવાના ફોટા વાયરલ થયા છે અને વરસાદી પાણી ટપકતા મુસાફરોનો સામાન પલળ્યો છે, રાજકોટમાં 326 કરોડના ખર્ચે બન્યું છે નવું ટર્મિનલ, અગાઉ પણ આ હીરાસર એરપોર્ટ વિવાદમાં અનેકવાર આવી ચૂકયું છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં નબળા કામની કામગીરી ફરી એક વખત છતી થઈ
રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં નબળા કામની કામગીરી ફરી એક વખત છતી થઈ ગઈ છે, નવા ટર્મિનલમાં છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, નવા ટર્મિનલ માંથી વરસાદી પાણી ટપકવાથી અરાઇવલ કન્વેયર બેલ્ટમાં મુસાફરોનો સમાન પલળી ગયો છે, લોકાર્પણના બે વર્ષ બાદ પણ અહીંયાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ શકી નથી અને ગત ફેબ્રુઆરીએ 362 કરોડના ખર્ચ બનેલા નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અગાઉ એરપોર્ટના CCTV કેમેરા બંધ જોવા મળ્યા હતા
આ પહેલ પણ રાજકોટનું હીરાસર એરપોર્ટ વિવાદમાં આવ્યું હતું. જેમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના CCTV કેમેરા બંધ જોવા મળ્યા હતા. બે દિવસથી 80 જેટલા CCTV કેમેરા બંધ હાલતમાં હતા. સમગ્ર બાબતની ઉડ્ડયન મંત્રાલયને જાણ કરાઈ હતી. બે દિવસ સુધી ઈન્ટરનેશનલ એરપોર્ટના 80 જેટલા સીસીટીવી કેમેરા બંધ છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમાં ટેક્નિકલ કારણોસર કેમેરા બંધ રહ્યા હતા.