Rajkotના જસદણમાં આકાશી વીજળી વેરણ બની, બે પશુના નિપજયા મોત

Jun 7, 2025 - 08:00
Rajkotના જસદણમાં આકાશી વીજળી વેરણ બની, બે પશુના નિપજયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના જસદણમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા બે બળદના મોત થયા છે, ખેતરમાં બળદને બાંધીને રાખ્યા હતા તે દરમિયાન વીજળી પડતા મોત થયું છે, તો ઘટનાની જાણ થતાની સાથે પશુ પાલક વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતનું નિવેદન લીધુ હતુ.

જસદણમાં વીજળી પડતા બે પશુના મોત

રાજકોટના જસદણના હનુમાન વાળા ખારચીયા ગામે વીજળી પડતા બે બળદના મોત થયા છે, વિછીયાના અમરાપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વીજળી બળદ પર પડતા બે બળદના મોત થયા છે, વાડીમાં બળદ રાખવામાં આવ્યા હતા અને વીજળી પડી હતી તો ખેડૂતે આ બાબતે મામલતદારને પણ જાણ કરી હતી અને કુદરતી આપતિની સામે સહાય મળે તેને લઈ સરકાર પાસે માગ પણ કરી છે, ખેડૂતનું કહેવું છે કે બળદ હતા તો ખેતી કરી શકતા હતા અને બળદ વિના કઈ રીતે ગુજરાન ચલાવીશું તે એક સવાલ છે.

ખેડૂતે સહાયની કરી માગ

રાજુભાઈ સામતભાઈ ભરવાડની વાડીમાં લીમડા નીચે બાંધેલા બળદ પર વીજળી પડતા પશુના મોત થયા છે. તો ઘરની વાડી પાસે બે બળદ અને 1 ગાયને બાંધી રાખવામાં આવી હતી તે દરમિયાન બળદ પર વીજળી પડી હતી અને એક પશુ બચી ગયું છે. તો પશુપાલકને સરકારી ગાઈડલાઈન પ્રમાણે જલદીથી સહાય ચૂકવવામાં આવે તેવી માગ પણ ઉઠી છે, તો પશુનુ પીએમ પણ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી પશુ પાલન વિભાગ કરશે અને ખેડૂતને સહાય પણ ચૂકવાઈ શકે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0