Rajkot: સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે

લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરાયો સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે. જેમાં રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તેમાં સ્ટોલના ભાડામાં વધારો કરાયો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. જેમાં ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરાયો છે. આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ છે. તેમજ કલેક્ટર તંત્ર દ્વારા જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.  લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો થયો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સ્ટોલના ભાડામાં 2000થી 30000 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે .તેમજ આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ નીકળી છે. તેમજ સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં નિયમોની આંટીઘૂંટીમાં રાઈડ ચાલકો ભરાયા છે. જેમાં લોકમેળામાં કલેકટર તંત્રના નિયમોથી સ્ટોલ ધારકો અને ચકરડી સંચાલકો ચકડોળની જેમ ફરી રહ્યાં છે. આકરા નિયમો સામે મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. જીએસટી સહિતના નિયમો અને નિયંત્રણોથી નારાજગી ઉલ્લેખનીય છે કે સ્ટોલ ઓછા, ચકડોળની જગ્યા ઓછી સામે જીએસટી સહિતના નિયમો અને નિયંત્રણોથી નારાજગી ફેલાઇ છે. તેમજ જન્માષ્ટમી લોકમેળાનો વિમો રૂપિયા 7.50 કરોડનો લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકમેળા અમલીકરણ સમિતિની બેઠકમાં આ નિર્ણય થયો હતો. મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તથા ફાયરફાઈટરોની સંખ્યા તથા એમ્બ્યુલન્સ વધારવા પણ નિર્ણય થયો છે. તેમજ એન્ટ્રીગેટ રાત્રીના 11:30 વાગ્યે બંધ કરી દેવાશે. જેમાં સિક્યોરિટી સ્ટાફમાં 100માંથી 125નો વધારો કરાશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડથી વિમો વધારી 7.50 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો 3-3ને બદલે 5-5 રાખવાનો નિર્ણય કર્યો છે. જન્માષ્ટમી પર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો છે. જેમાં આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં CCTV તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. તેમજ જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે. યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્રમાં વિખ્યાત રાજકોટના લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.

Rajkot: સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો
  • લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી
  • ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરાયો

સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે. જેમાં રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તેમાં સ્ટોલના ભાડામાં વધારો કરાયો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. જેમાં ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરાયો છે. આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ છે. તેમજ કલેક્ટર તંત્ર દ્વારા જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો થયો

રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સ્ટોલના ભાડામાં 2000થી 30000 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે .તેમજ આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ નીકળી છે. તેમજ સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં નિયમોની આંટીઘૂંટીમાં રાઈડ ચાલકો ભરાયા છે. જેમાં લોકમેળામાં કલેકટર તંત્રના નિયમોથી સ્ટોલ ધારકો અને ચકરડી સંચાલકો ચકડોળની જેમ ફરી રહ્યાં છે. આકરા નિયમો સામે મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી.

જીએસટી સહિતના નિયમો અને નિયંત્રણોથી નારાજગી

ઉલ્લેખનીય છે કે સ્ટોલ ઓછા, ચકડોળની જગ્યા ઓછી સામે જીએસટી સહિતના નિયમો અને નિયંત્રણોથી નારાજગી ફેલાઇ છે. તેમજ જન્માષ્ટમી લોકમેળાનો વિમો રૂપિયા 7.50 કરોડનો લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકમેળા અમલીકરણ સમિતિની બેઠકમાં આ નિર્ણય થયો હતો. મેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તથા ફાયરફાઈટરોની સંખ્યા તથા એમ્બ્યુલન્સ વધારવા પણ નિર્ણય થયો છે. તેમજ એન્ટ્રીગેટ રાત્રીના 11:30 વાગ્યે બંધ કરી દેવાશે. જેમાં સિક્યોરિટી સ્ટાફમાં 100માંથી 125નો વધારો કરાશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડથી વિમો વધારી 7.50 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો 3-3ને બદલે 5-5 રાખવાનો નિર્ણય કર્યો છે. જન્માષ્ટમી પર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે.

રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો

રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો છે. જેમાં આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં CCTV તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. તેમજ જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે. યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્રમાં વિખ્યાત રાજકોટના લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.