Rajkot: જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલાય તેવી શક્યતા, જિલ્લા કલેકટરે આપ્યું આ નિવેદન

May 29, 2025 - 14:00
Rajkot: જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલાય તેવી શક્યતા, જિલ્લા કલેકટરે આપ્યું આ નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સોરાષ્ટમાં જન્માષ્ટમીના લોકમેળાની લોકો રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે તેનું મહત્વ ખૂબ જ વધારે છે. ત્યારે જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલાઈને નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર થાય તેવી શક્યતા છે. જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેકટરે કહ્યું છે કે, સરકારની SOP મુજબ રાઇડ્સ સંચાલકોને મંજૂરી અપાશે અને તમામ નિયમોનું પાલન ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

જન્માષ્ટમીના લોકમેળામાં નિયમોનું ચુસ્તપણે પાલન કરાશે

રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, સરકાર જે SOP હશે તે મુજબ જ રાઈટ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે, જન્માષ્ટમીના લોકમેળામાં સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. જ્યારે રાઇડ્સ સંચાલકોની જે પણ માંગણી હશે તે પણ સરકારમાં મૂકવામાં આવશે. ગત વર્ષે લોકમેળામાં એક પણ રાઇડ્સ ચાલુ થઈ નહોતી. જોકે આ વખતે રાઇટ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમોને લઈને લોકમેળામાં રાઇડ્સ ચાલુ થશે કે કેમ તે મોટો સવાલ ?

લોકમેળાનું સ્થળ પણ બદલાઈ શકે

રાજકોટમાં લોકમેળાનું સ્થળ પણ બદલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર જમીન સમતળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માગ કરી છે. જો ગ્રાન્ટ સમયસર આવી જશે તો લોકમેળો નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર યોજાશે.

જન્માષ્ટમીનો મેળો

જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીનો મેળો આયોજિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં દર વર્ષે 10થી 15 હજાર લોકોનું મહેરામણ ઉમટે છે. વર્તમાન સ્થળ પર રેસકોર્સનું મેદાન ટ્રાફિક અને લાખો લોકોની હાજરીથી નાનું પડી રહ્યું છે. લોકમેળામાં ઉમટતી જનમેદનીના કારણે લોકમેળાનું સ્થળ બદલવાનો નિર્ણય પર વિચાર કરવામાં આવ્યો હતો. લોકોની સુરક્ષા અને હાલમાં બનતી આગની ઘટનાઓને લઈને સુરક્ષા અને યોગ્ય વ્યવસ્થાપનના ભાગરૂપે જન્માષ્ટમીના મેળો આગામી સમયમાં અન્ય સ્થાન પર યોજાઈ શકે છે. TRP ગેમઝોન દુર્ઘટના બાદ રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે યોજાયેલ લોકમેળોમાં રાઈડધારકો અને મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0