Rajkot અગ્નિકાંડ કેસમાં ટીઆરપી ગેમ ઝોનમાં મળેલા લીકિવડનો રીપોર્ટ SITને સોંપાયો

FSLમાં ટીઆરપી ગેમ ઝોનમાં રહેલું લીકિવડ રેઝીન હોવાનું આવ્યું સામે ગેમ ઝોનમાં ચાલતા કામમાં થતો હતો રેઝીનનો ઉપયોગ હંગામી બાંધકામમાં દિવાલ પર મટીરીયલ ચોંટાડવા રેઝીનનો થતો હતો ઉપયોગ ગુજરાતના રાજકોટમાં લાગેલી આગના પડઘા સમગ્ર ભારતમાં પડયા છે,આ કેસમાં 27 લોકોના અકાળે મોત થતા રાજયસરકારે એસઆઈટીની રચના કરી હતી,જેમાં FSL રીપોર્ટમાં સામે આવ્યુ છે કે ટીઆરપી ગેમ ઝોનમાં રહેલું લીકિવડ રેઝીન હતું,અને હંગામી બાંધકામમાં દિવાલ પર મટીરીયલ ચોંટાડવા રેઝીનનો થતો હતો ઉપયોગ. આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ અગ્નિકાંડમાં ગુનાહિત લાપરવાહી સ્પષ્ટ થતાં પોલીસે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠિયા, બે એટીપીઓ ગૌતમ જોષી તથા મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે ધરપકડ કરી ચારેયને રિમાન્ડ પર લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થતાં ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા સામે નોંધ્યો વધુ એક ગુનો ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા IPC 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી. નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે. ગઈકાલે એસાઈટીની ટીમે આરોપીઓના નિવેદન લીધા અગ્નિકાંડની નોંધાયેલી ફરિયાદમાં સાત આરોપીઓને નામ જોગ દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદની તપાસમાં મનપાના અધિકારીઓ સંડોવણી ખુલતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ધરપકડ પામેલા અને રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા ગેમઝોનના સંચાલકો યુવરાજસિંહ સોલંકી સહિતનાઓની પુછપરછ કરવા માટે મંગળવારે રાજ્ય સરકાર નિયુક્ત વડા સુભાષ ત્રિવેદી અને તેમની ટીમ રાજકોટ મધ્યસ્થ જેલે પહોંચી હતી. અને જેલમાં રહેલા અગ્નિકાંડના આરોપીઓના નિવેદન આ ટીમે નોંધ્યા હતા.  

Rajkot અગ્નિકાંડ કેસમાં ટીઆરપી ગેમ ઝોનમાં મળેલા લીકિવડનો રીપોર્ટ SITને સોંપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • FSLમાં ટીઆરપી ગેમ ઝોનમાં રહેલું લીકિવડ રેઝીન હોવાનું આવ્યું સામે
  • ગેમ ઝોનમાં ચાલતા કામમાં થતો હતો રેઝીનનો ઉપયોગ
  • હંગામી બાંધકામમાં દિવાલ પર મટીરીયલ ચોંટાડવા રેઝીનનો થતો હતો ઉપયોગ

ગુજરાતના રાજકોટમાં લાગેલી આગના પડઘા સમગ્ર ભારતમાં પડયા છે,આ કેસમાં 27 લોકોના અકાળે મોત થતા રાજયસરકારે એસઆઈટીની રચના કરી હતી,જેમાં FSL રીપોર્ટમાં સામે આવ્યુ છે કે ટીઆરપી ગેમ ઝોનમાં રહેલું લીકિવડ રેઝીન હતું,અને હંગામી બાંધકામમાં દિવાલ પર મટીરીયલ ચોંટાડવા રેઝીનનો થતો હતો ઉપયોગ.

આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ

અગ્નિકાંડમાં ગુનાહિત લાપરવાહી સ્પષ્ટ થતાં પોલીસે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠિયા, બે એટીપીઓ ગૌતમ જોષી તથા મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે ધરપકડ કરી ચારેયને રિમાન્ડ પર લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થતાં ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા સામે નોંધ્યો વધુ એક ગુનો

ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા IPC 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી.

નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી

TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે.

ગઈકાલે એસાઈટીની ટીમે આરોપીઓના નિવેદન લીધા

અગ્નિકાંડની નોંધાયેલી ફરિયાદમાં સાત આરોપીઓને નામ જોગ દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદની તપાસમાં મનપાના અધિકારીઓ સંડોવણી ખુલતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ધરપકડ પામેલા અને રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા ગેમઝોનના સંચાલકો યુવરાજસિંહ સોલંકી સહિતનાઓની પુછપરછ કરવા માટે મંગળવારે રાજ્ય સરકાર નિયુક્ત વડા સુભાષ ત્રિવેદી અને તેમની ટીમ રાજકોટ મધ્યસ્થ જેલે પહોંચી હતી. અને જેલમાં રહેલા અગ્નિકાંડના આરોપીઓના નિવેદન આ ટીમે નોંધ્યા હતા.