Pavagadh: યાત્રાધામ પાવાગઢમાં આગામી 13 દિવસ માટે રોપ-વે સેવા રહેશે બંધ
પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠમાં રોપ-વે સેવા આગામી 13 દિવસ માટે બંધ રહેશે. ઉષા બ્રેકો કંપની દ્વારા વાર્ષિક મેન્ટેનન્સ માટે 17 ફેબ્રુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી આ સેવા સ્થગિત કરવામાં આવશે.યાત્રાધામ પાવાગઢ જવા ઇચ્છતા ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 13 દિવસ એટલે કે, 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચઢીને જવું પડશે. મેઈન્ટેનેન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેઈન્ટેનેન્સની કામગીરી કરવામાં આવે છે. રોપ-વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા એન્યુઅલ મેઈન્ટેનેન્સ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે. યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે.યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા રહેશે બંધ 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધએન્યુઅલ મેઇન્ટેનેન્સના કારણે રોપ વે સેવા બંધ આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશેમહત્ત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના ખુણેખુણેથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. મેઈન્ટેનેન્સની કામગીરી પૂર્ણ થયા બાદ પાવાગઢ આવતાં ભક્તો માટે રોપ-વે રાબેતા મુજબ શરૂ થશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠમાં રોપ-વે સેવા આગામી 13 દિવસ માટે બંધ રહેશે. ઉષા બ્રેકો કંપની દ્વારા વાર્ષિક મેન્ટેનન્સ માટે 17 ફેબ્રુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી આ સેવા સ્થગિત કરવામાં આવશે.
યાત્રાધામ પાવાગઢ જવા ઇચ્છતા ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 13 દિવસ એટલે કે, 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચઢીને જવું પડશે. મેઈન્ટેનેન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેઈન્ટેનેન્સની કામગીરી કરવામાં આવે છે. રોપ-વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા એન્યુઅલ મેઈન્ટેનેન્સ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે. યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા રહેશે બંધ
- 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ
- એન્યુઅલ મેઇન્ટેનેન્સના કારણે રોપ વે સેવા બંધ
- આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે
- યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે
મહત્ત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના ખુણેખુણેથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. મેઈન્ટેનેન્સની કામગીરી પૂર્ણ થયા બાદ પાવાગઢ આવતાં ભક્તો માટે રોપ-વે રાબેતા મુજબ શરૂ થશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.