Panchmahal:જાંબુઘોડામાં બિરાજમાન થનારા શ્રીજીની આગમન યાત્રા નીકળી

Aug 23, 2025 - 04:30
Panchmahal:જાંબુઘોડામાં બિરાજમાન થનારા શ્રીજીની આગમન યાત્રા નીકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જાંબુઘોડા નગરમાં શ્રીજીનું વાજતે-ગાજતે શ્રીજી પ્રતિમાનું ભવ્ય આગમન થયું છે.આ શુભ પ્રસંગે શ્રીજીનું સ્વાગત કરવા માટે નગરજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

નગરમાં કુલ નવ સ્થળે બિરાજમાન થનારી ગણેશ પ્રતિમાઓનું આગમન થયું છે. ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જાંબુઘોડામાં પણ શ્રીજી પ્રતિમાઓની આગમન સવારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે પણ શ્રીજીની નવ જેટલી પ્રતિમાઓનુ આગમન થયું હતું. નગરના સર્કિટ હાઉસ પાસે શ્રીજીના સ્વાગત માટે નગરજનો ભેગા થયા હતા. જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈએ શ્રીજી પ્રતિમાને હાર પહેરાવીને ભાવભેર સ્વાગત કર્યું હતું. ડીજેના તાલે અને ઉત્સાહભેર નગરજનો આ પ્રતિમાઓને હોળી ચકલા ખાતે લઈ આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0