Panchmahal:અસહ્ય ગંદકી, ગેરકાયદે દબાણો અને બિસમાર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા તાલુકાનું નદીસર ગામમાં રસ્તા, ગંદકી અને દબાણોના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
નદીસર ગામમાં પ્રાથમિક સુવિધાની મોટી સમસ્યા છે. ગામના મૂખ્ય માર્ગો બિસમાર છે, માર્ગ પરના ખાડાઓમા બારેમાસ પાણી ભરાઈ રહે છે. પ્રાથમિક શાળા, રામજી મંદિર, પારેખ ફળિયું, પગીવગા, આંટા ફળિયા, સ્મસાન રોડ ગંદકીથી ખદબદે છે. ઘણા વિસ્તારોમાં ઉકરડાના ઢગલા જોવા મળે છે. વીજ બિલ નહીં ભરાવા ના કારણે એકાદ વર્ષથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. વોટર વર્કસ સંકુલમાં ઝાડી ઝાંખરા છવાયેલા જોવા મળે છે. કૂવા કે સંપમાં જાળી લગાવેલી નથી. એક વર્ષથી ગામ માં આર.સી.સી રોડ મંજૂર થયાં છે, પણ કોન્ટ્રાકટર દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી, ગામનું છબાસર અને રાજેરાવ તળાવની આસપાસ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. જે સામે પંચાયતી સત્તાધિશોની ઉદાસીન નીતિ જોવા મળે છે, જેથી આ તમામ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માગ કરાઈ છે.
What's Your Reaction?






