Panchmahal: ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

Dec 19, 2024 - 01:00
Panchmahal: ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરાના સ્થાનિક વેપારીઓને અગાઉ પોતે જાતે કરેલું ગેરકાયદેસર દબાણો દુર કરવા અંગે સુચનાઓ આપી હતી.જે સૂચનાઓ આપી હોવા છતા દબાણો દુર કરવામાં ન આવતા તંત્ર દ્વારા આજે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જેમાં ગોધરા અમદાવાદ હાઇવે રોડ પર સીમલા ગેરેજ વિસ્તારમાં કાચા પાકા દબાણો હાઈવે રોડને અડીને હોવાથી વાહનચાલકો ને અકસ્માત નો ભય રહેતો હોવાથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ત્યારે દબાણ હટાવવાની આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી,મામલતદાર,ચીફ્ ઓફ્સિર,આર એન્ડ બી વિભાગના અધિકારીઓ, આરટીઓ સહિત ના પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું.વહીવટી તંત્ર દ્વારા અચાનક દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો.તો કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા. શહેરમાં ટ્રાફ્ીકનુ ભારણ ઓછુ કરવા માટે ભુરાવાવ ચોકડી થી વાવડી ટોલનાકા સુધીનો ફેરલેન રોડ બનાવવાની કામગીરી પુરજોસમાં ચાલી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા સીમલા ગેરેજ વિસ્તારના દબાણો તોડવાની કામગીરી આજે કરી હતી. ગેરેજ માલિકોને તંત્ર દ્રારા અગાઉ દબાણ હટાવવાની નોટીસ આપવા છતાં કેટલાક ગેરેજવાળાઓ દબાણ હટાવ્યા ન હતા. આ વર્ષો જુના દબાણ તોડવા સમયે અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસના કાફ્લાને તૈનાત કરાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0