Panchmahal: કાલોલમાં બોરૂ કેનાલ પાસેથી જીવતી નવજાત બાળકી મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં અનેક વખત અવાવરૂ જગ્યાએ તરછોડી દીધેલી હાલતમાં બાળક મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પંચમહાલના કાલોલમા બોરૂ કેનાલ પર તરછોડી દીધેલી હાલતમાં જીવીત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા બાળકીને તરછોડી દેવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ખસેડી હતી.હાલમાં બાળકીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના કાલોલમાં બોરૂ કેનાલ પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા એક જીવીત નવજાત બાળકીને તરછોડી દેવામા આવી હતી. કોઈ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ગત મોડી સાંજે બોરૂ કેનાલ પાસે તરછોડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને આ બાબતની જાણ થતાં જ ત્યાં પહોંચી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી. પોલીસે બાળકીના વાલી કોણ છે અને તેને કેમ તરછોડી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
હાલમા બાળકીની તબિયત સારી
આ બાળકી અધૂરા મહિને જન્મી હોવાના કારણે પોલીસે તેને ગોધરા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડી હતી. ત્યાર બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડી હતી. હાલમા બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બાળકીને કેમ અને કયા કારણે ત્યજી દેવામાં આવી તે દિશામાં ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






