Panchmahal: પ્રયાગરાજથી પરત ફરતા કાલોલના યાત્રિકોને નડ્યો અકસ્માત, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત

Feb 18, 2025 - 18:30
Panchmahal: પ્રયાગરાજથી પરત ફરતા કાલોલના યાત્રિકોને નડ્યો અકસ્માત, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રયાગરાજથી પરત ફરતા પંચમહાલના કાલોલના યાત્રિકોને અકસ્માત નડ્યો છે. મધ્યપ્રદેશના મંદસોર નજીક ડ્રાઇવરને ઝોકુ આવી જતા બસ પલટી ખાઇ ગઇ હતી. બસમાં સવાર 10 થી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે.

પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરતા કાલોલના યાત્રિકોને મધ્યપ્રદેશના મંદસોર નજીક વહેલી સવારે અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પંચમહાલના કાલોલના યાત્રિકો પ્રયાગરાજમાં મહાકુંભમાં ગયા હતા. અચાનક ડ્રાઇવરને ઝોકું આવી જતા યાત્રિકોથી ભરેલી બસ પલ્ટી ગઇ હતી. બસ પલટી ખાતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં 10થી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. 

મધ્યપ્રદેશના મંદસોર નજીક કાલોલના યાત્રિકોને અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતની ઘટનામાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનામાં મોટી જાન હાનિ ટળી, તમામને સામાન્ય ઇજાઓ પહોંચી છે. તમામ યાત્રિકોને લઈ અન્ય બસ વતન પરત નીકળી હોવાના સમાચાર મળી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0