Narmada:આડેધડ રેતીખનનથી પૌરાણિક વ્યાસબેટને નુકસાનની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના પટમાં આડેધડ રેતી ખનન થતું હોય નર્મદા નદીના કિનારે આવેલ પૌરાણિક મહાદેવના મંદિરોને અને અહીંની કુદરતી ભૂ-રચનામાં ફેરફાર થવાની ભિતી ઊભી થયેલ છે. હાલ શિનોર ગામ પાસેની નર્મદા નદીના સામા કાંઠાના પટમાં લગભગ બે કિ.મી વિસ્તારમાં ઊંડા ખાડા ખોદી વરસાદની ઋતુ શરૂ થયેલ હોવા છતાં રેતી ખનન થઇ રહ્યું હોય પગલાં ભરે એ જરૂરી છે.
શિનોર તાલુકાની દક્ષિણ દિશા તરફ્ની સરહદ નર્મદા નદીનો કિનારો છે. આ નર્મદા નદીના પટમાંથી મોલેથા ગામે તેની નજીકમાં આવેલ બરકાલ વ્યાસ બેટને નુકસાન થવાનું હોવાથી ત્યાં રેતીખનન વડોદરા જિલ્લા કલેકટરે અટકાવેલ છે. ત્યારે શિનોર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના સામા કિનારાના પટમાં આડેધડ ખાડાખોદી બેફામ રીતે રેતી ખનન માફ્યિા દ્વારા રેતીનું મોટા પાયે ખનન કરી વહન કરાય છે. શિનોર પાસેની નર્મદા નદીની સામેનો વિસ્તાર નર્મદા જિલ્લામાં આવે છે. નર્મદા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ અને કલેકટરે પણ વડોદરા જિલ્લાના કલેકટરની જેમ આડેધડ થતું રેતીખનનનું કામ અટકાવવું જોઈએ. કારણ કે, શિનોરની આસપાસ અનેકવિધ પૌરાણિક મંદિરો આવેલા છે. તેને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. તેમજ નર્મદા નદીના કિનારા પર ભેખડો પર વસેલ શિનોરની કુદરતી ભૂ-સંરચનામાં મોટા ફેરફાર થઈ શકે તેમ છે. ગત વર્ષે શિનોરના ટીંબા વિસ્તારમાં અચાનક ભેખડો ધસી પડવાના બનાવો બન્યાં હતા. ત્યાંના સ્થાનિકોના મકાનો ધરાશયી થયેલા અને તિરાડો પણ પડી હતી. સદ્નસીબે તે સમયે કોઈ જાનહાનિ થઇ ન હતી. હાલ શિનોર નર્મદા નદીની સામે બે કિ.મીના પટમાં આડેધડ રેતી ખનનથી મહાભારત કાળના ભંડારેશ્વર, કૃષ્ણેશ્વર, રોહિણેશ્વર વગેરે પૌરાણિક મહાદેવના મંદિરોને અને શિનોરના વિવિધ ઐતિહાસિક ઘાટોને પણ નુકસાન થવાની શક્યતા હોય સ્થાનિક રહીશો વ્યાસ બેટને નુકસાન થવાની શક્યતા લઈને લાગતું વળગતું ખાણ ખનીજ વિભાગ ગેરકાયદે રેતીખનન અટકાવે તે જરૂરી બન્યું છે.
What's Your Reaction?






