Nadiad: કોમી એકતાની મિસાલ : હિન્દુ-મુસ્લિમ સમાજે રક્તદાન કર્યું

Feb 9, 2025 - 06:00
Nadiad: કોમી એકતાની મિસાલ : હિન્દુ-મુસ્લિમ સમાજે રક્તદાન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજ માટે આસ્થાનું પ્રતિક છે. હાલ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મંદિરના વર્તમાન ગાદીપતિ પૂ.મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી નડિયાદ ટાઉન પોલીસ દ્વારા મંદિરમાં ત્રિદિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.

જેમાં ત્રણેય દિવસ દરમિયાન અનેક હિન્દુ અને મુસ્લિમ પરિવારો, પોલીસ પરિવારો, પ્રજ્ઞાચક્ષુ, હોમગાર્ડ જવાનોએ ઉમળકાભેર રક્તદાન કરી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. નડિયાદ ટાઉન પી.આઈ. એમ.બી.ભરવાડે જણાવ્યું હતું કે 71 જેટલા પોલીસ જવાનો, 20 ટીઆરબી, 45 હોમગાર્ડ ભાઈઓ અને બહેનો, હિન્દુ અને મુસ્લિમ સમાજના નાગરિકોએ રક્તદાન કર્યું હતું. એક સાઈબર એક્સપર્ટ પ્રજ્ઞાચક્ષુ નામના યુવાને પણ પરિવાર સાથે રક્તદાન કર્યું હતું. નડિયાદના અગ્રણી હાલ આ લખાય છે ત્યાં સુધી 441 બોટલ રક્ત એકત્ર થયું છે. આ ત્રિદિવસીય બ્લડ ડોનેશન કરવાનો આશય એકત્ર થયેલ રક્તને થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે મદદરૂપ થવાનું હતું. એકતરફ સેવાના ધામ ગણાતા નડિયાદ સંતરામ મંદિરમાં મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ પણ પ્રજાની મિત્ર છે તેવા સુત્રને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં નાગરિકોએ ઉમળકાભેર ભાગ લઈ પોતાની ફરજ અદા કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0