Morbiમાં લુખ્ખાતત્વો બેફામ, ભાજપ આગેવાનની સંસ્થામાં લાકડી લઈ કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં ભાજપ આગેવાનની સંસ્થામાં તોડફોડ થઈ છે,મોરબીના લુખ્ખાતત્વોએ આ તોડફોડ કરી હોવાની વાત સામે આવી છે.સેવા એ જ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી હોવાની વાત સામે આવી છે,કેમ તોડફોડ કરી તેનું સાચું કારણ સામે આવ્યું નથી,તો ઓફિસમાં તોડફોડના સીસીટીવી સામે આવ્યા છે,તો ઓફિસ કર્મચારી નિકુંજ બાવરવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ત્રણ વ્યકિત સામે નોંધાઈ ફરિયાદ
મોરબીમાં લુખ્ખાતત્વો બેફામ થયા છે જેમાં જયેશ કાસુન્દ્રા સહિત 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે,અને આરોપીઓએ ઓફીસમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વાત સામે આવી છે,પહેલા ઓફીસમાં લુખ્ખાતત્વો પ્રવેશે છે ત્યારબાદ ઓફીસમાં પાણીની બોટલ લઈ કાચ પર ફેંકે છે ત્યારબાદ કોઈ એક વ્યકિત ઓફિસમાં આવે છે અને પછી તે લાકડી લઈને ઓફીસના દરવાજા પરના કાચ પર મારે છે અને નુકસાન કરે છે,મોરબીના સનાળા રોડ પર આ ઘટના બની છે.
સનાળા રોડ પર બની ઘટના
ઓફીસમાં 3 શખ્સોએ પ્રવેશી ઓફીસમાં તોડફોડ કરી છે,કયા મનદુખને કારણે આ તોડફોડ કરી છે તેને લઈ માહિતી સામે આવી નથી,ઘટનાની જાણ થતાની સાથે પોલીસે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી,પોલીસે આરોપીઓને શોધવા મહેનત કસી છે,ત્યારે મોરબીમાં હાલમાં એક જ ચર્ચાનો વિષય બન્યો છે કે આરોપીઓએ શા કારણોસર આ તોડફોડ કરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ ત્રણેય શખ્સ ઓફિસમાં શા માટે આવ્યા હતા અને કોને મળવા આવ્યા હતા તે અંગે ફરિયાદમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ મુદ્દાઓનો ખુલાસો આરોપીઓની ધરપકડ બાદ જ થશે તેવું મનાય છે.
What's Your Reaction?






