Mehsana VGRC માં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, નેધરલેન્ડ સહિતના દેશો બન્યા ભાગીદાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ (VGRC)ના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય રેલવે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતનું આ નોંધપાત્ર વિકાસ મોડલ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને માર્ગદર્શનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે વાયબ્રન્ટ સમિટની શરૂઆત પણ ગુજરાતમાંથી જ થઈ હતી અને રાજ્યે છેલ્લા 20 વર્ષમાં ખૂબ સારો અને સર્વાંગી વિકાસ કર્યો છે. આ પ્રસંગે તેમણે ટ્રેડ શો અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
રેલવે અને વૈશ્વિક રોકાણની મોટી જાહેરાતો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે ક્ષેત્રે ગુજરાતમાં થઈ રહેલા મોટા રોકાણની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં રેલવેના વિકાસ માટે કુલ રૂપિયા 1.46 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે રેલવે લોજિસ્ટિક ખર્ચ ઓછો કરવાના સંકલ્પની પણ પુનરોચ્ચાર કર્યો હતો, જે ઉદ્યોગો માટે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે. મહેસાણામાં 700 એકર વિસ્તારમાં વૈશ્વિક વસાહતોનું નિર્માણ થઈ રહ્યું હોવાની માહિતી પણ તેમણે આપી હતી, જે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય રોકાણને વેગ આપશે. આ સમિટમાં નેધરલેન્ડ સહિત અનેક દેશો ભાગીદાર બન્યા છે, જે ગુજરાતની વૈશ્વિક પહોંચ દર્શાવે છે.
પ્રાદેશિક સમિટનો હેતુ
મહેસાણામાં આયોજિત આ રીજનલ સમિટનું સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ પ્રાદેશિક સ્તરે રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં થયેલા આયોજનની સરાહના કરી હતી. ટ્રેડ શો અને એક્ઝિબિશન દ્વારા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ સમિટ દર્શાવે છે કે માત્ર અમદાવાદ-ગાંધીનગર જ નહીં, પરંતુ રાજ્યના દરેક પ્રદેશોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે.
What's Your Reaction?






