Mehsana News: વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 1.61 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં તહેવારોની સિઝનમાં માર્કેટમાં મળતા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરાયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં નકલી, ઘી, તેલ અને પનીર મળ્યું હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તંત્રએ કૂલ 1.61 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કુલ 1.61 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં પામોલિન તેલમાં પનીર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરતાં નકલી પનીરની બનાવટનો પર્દાફાશ થયો છે. વિભાગ દ્વારા 649 કિ.ગ્રા પનીર અને 238 કિ.ગ્રા પામતેલનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 1.61 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ દરમિયાન જે પનીર જપ્ત કરવામાં આવ્યું છે તેમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડ વપરાતો હોવાની શંકા સેવાઈ રહી છે. પામોલીન તેલમાં પનીર બનાવતું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે. તહેવારોની સિઝનમાં અખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ ચાલી રહી છે. આ ડ્રાઈવ દરમિયાન વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
What's Your Reaction?






