Mahisagar:વર્ષોથી નિયમિત ચાલતી બે બસના રૂટ અચાનક બંધ કરી દેવાયા

Nov 21, 2025 - 04:00
Mahisagar:વર્ષોથી નિયમિત ચાલતી બે બસના રૂટ અચાનક બંધ કરી દેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંતરામપુર એસ. ટી. ડેપોનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જાય છે. એસ. ટી. વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા વર્ષો જુની એસ.ટી. બસોના કમાઉ રૂટ અચાનક બંધ કરી દેતાં મુસાફર જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. છેલ્લા 40 વર્ષથી નિયમિત ચાલતી સંતરામપુર-ખંભાત અને છેલ્લા 35 વર્ષથી ચાલતી કડાણાડેમ - ઉકાઈડેમ બસ એકાએક બંધ કરી દેવાતા બંને બસોના મુસાફરો અટવાઈ ગયા હતા.

આ બંને લાંબા રૂટની બસો વ્યાજબી કારણ વિના એકાએક બંધ કરી દેતા મુસાફરોની હાલત કફોડી થયેલ છે. જયારે કડાણા- ખાનપુર થઈ અમદાવાદ જતી 40 વર્ષથી દોડતી સંતરામપુર-અમદાવાદ લોકલ બસ છેલ્લા દશેક દિવસથી અનિયમિત થતાં રૂટના મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંતરામપુર ડેપો મેનેજર દ્વારા કડાણા વિસ્તાર સામે ઓરમાયુ વર્તન કરાતું હોવાનું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કડાણા વિસ્તારની બંધ કરાયેલી બંને બસો પુનઃ શરૂ કરવા માગ કરાઈ છે. આ બાબતે ડેપો મેનેજર જે.એ ભગોરાએ જણાવ્યું હતું કે, સ્ટાફ્ શોર્ટેજ તેમજ બંને બસોની ઈન્કમ ઓછી હોવાથી ટ્રાયલ માટે બંધ કરેલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0