Mahisagar Accident: ખાનપુરમાં ચારધામ યાત્રાથી પરત ફરતા પરિવારનો અકસ્માત

મહીસાગરના ખાનપુરમાં ટ્રાવેલ્સ બસનો અકસ્માતટ્રાવેલ્સ બસમાં સવાર 10 લોકો ઈજાગ્રસ્ત ચારધામ યાત્રાથી પરત ફરતા નવસારીના પરિવારનો અકસ્માત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ચારધામની યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નદીઓ છે. જોકે, સદનસીબે અકસ્માતમાં કોઈનું મોત નથી થયું પરંતુ પરિવારના 10 લોકો ઇજાગ્રસ્ત થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, નવસારીના ગણદેવી તાલુકાના પરીવારને મહીસાગર જિલ્લામાં અકસ્માત નદીઓ છે. પરિવાર ચાર ધામની યાત્રાએ થી પરત ફરી રહ્યો હતો ત્યારે ખાનપુર તાલુકાના વડાગામ પાસે પરીવારને અકસ્માત નદીઓ છે. ટેમ્પો ટ્રાવેલર્સ લઈને પરિવાર ચાર ધામ યાત્રાએ ગયો હતો જ્યાંથી પરત આવતા પરીવારને અકસ્માત નડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ટ્રાવેલરની બસને પાછળથી અન્ય ગાડી દ્વારા જોરદાર ટક્કર મારતા ટ્રાવેલર્સ બસ પલ્ટી મારી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જીલ્લાની 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટ્રાવેલર્સ પલ્ટી મારી જતાં પરિવારના 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે ટ્રાવેલર્સ બસમાં પરિવારના 17 જેટલા સભ્યો સવાર હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થવા નહોતી પામી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સમયસર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Mahisagar Accident: ખાનપુરમાં ચારધામ યાત્રાથી પરત ફરતા પરિવારનો અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહીસાગરના ખાનપુરમાં ટ્રાવેલ્સ બસનો અકસ્માત
  • ટ્રાવેલ્સ બસમાં સવાર 10 લોકો ઈજાગ્રસ્ત
  • ચારધામ યાત્રાથી પરત ફરતા નવસારીના પરિવારનો અકસ્માત

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ચારધામની યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નદીઓ છે. જોકે, સદનસીબે અકસ્માતમાં કોઈનું મોત નથી થયું પરંતુ પરિવારના 10 લોકો ઇજાગ્રસ્ત થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, નવસારીના ગણદેવી તાલુકાના પરીવારને મહીસાગર જિલ્લામાં અકસ્માત નદીઓ છે. પરિવાર ચાર ધામની યાત્રાએ થી પરત ફરી રહ્યો હતો ત્યારે ખાનપુર તાલુકાના વડાગામ પાસે પરીવારને અકસ્માત નદીઓ છે. ટેમ્પો ટ્રાવેલર્સ લઈને પરિવાર ચાર ધામ યાત્રાએ ગયો હતો જ્યાંથી પરત આવતા પરીવારને અકસ્માત નડ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે, ટ્રાવેલરની બસને પાછળથી અન્ય ગાડી દ્વારા જોરદાર ટક્કર મારતા ટ્રાવેલર્સ બસ પલ્ટી મારી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જીલ્લાની 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટ્રાવેલર્સ પલ્ટી મારી જતાં પરિવારના 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે ટ્રાવેલર્સ બસમાં પરિવારના 17 જેટલા સભ્યો સવાર હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થવા નહોતી પામી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સમયસર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.