મહેસાણાના ખેરાલુ તાલુકામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થયાની ચર્ચા છે. ચોટીયા ગ્રામ પંચાયત સતત બીજી વાર સમરસ જાહેર થઇ છે. સરપંચ તરીકે અનિતા ઠાકોરની વરણી કરવામાં આવી છે. સરપંચ સહિત તમામ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અગાઉ ખેરાલુની રસુલપુર ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઇ હતી. રસુલપુરના સરપંચ તરીકે શબ્બીર મોમીનની વરણી કરવામાં આવી હતી.
ખેરાલુમાં 43માંથી 2 ગ્રામ પંચાયત સમરસ
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેમાં વિવિધ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ રહી છે. પહેલા બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની હતી. વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી. જોઈતા ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓના હાથમાં આપવામાં આવ્યુ હતુ. તો આ તરફ, મોરબીની નવા ઇસનપુર પંચાયત સમરસ બની હતી. જેમાં સરપંચ તરીકે ધીરજ પરમાર અને પરસોત્તમ પરમારને ઉપ સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
શું હોય છે સમરસ ગ્રામ પંચાયત ?
સમરસ ગ્રામ પંચાયત એટલે કે બિનહરીફ વરણીઓ કરવામાં આવે છે. જેમાં કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવામાં આવે છે. જેમાં કોઇ ચૂંટણી યોજવામાં આવતી નથી. ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.