Local Body Election 2026 : નડિયાદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી, બેલેટ પેપરમાં ઉમેદવારનું નિશાન છાપવાનું જ ભૂલી ગયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ શહેરમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેને કારણે મતદાન વ્યવસ્થાની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ, વોર્ડ નંબર 4 માટે તૈયાર કરાયેલા બેલેટ પેપરમાં એક અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિન્હ છાપવાનું જ રહી ગયું હતું, છતાં આ બેલેટ પેપરો મતદારોમાં વહેંચી દેવામાં આવ્યા હતા.
મતદારોમાં ગુંચવણ ઉભી થઈ
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મતદારો અને ઉમેદવારના સમર્થકોએ બેલેટ પેપર તપાસ્યા. તેમાં ઉમેદવારનું નામ તો હતું, પરંતુ તેના સામે ચૂંટણી ચિન્હ નહોતું, જેના કારણે મતદારોમાં ગુંચવણ ઉભી થઈ હતી. ખાસ કરીને ગ્રામ્ય અને ઓછા શિક્ષિત મતદારો માટે ચૂંટણી ચિન્હ ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે આ પ્રકારની ભૂલ ગંભીર ગણાય છે. માહિતી અનુસાર, વોર્ડ નંબર 4માં કુલ 66 મતદારો બેલેટ પેપર દ્વારા મતદાન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ભૂલ મતદાનના પરિણામને પણ અસર કરી શકે છે. સ્થાનિક સ્તરે આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે અને કેટલાક લોકોએ ફરીથી બેલેટ પેપર છાપવાની માંગ પણ ઉઠાવી છે.
આવી ગંભીર ભૂલ કેવી રીતે થઈ તે તપાસનો વિષય?
આ સમગ્ર ઘટનાને લઈને ચૂંટણી વિભાગની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. સામાન્ય રીતે બેલેટ પેપર છાપતા પહેલા અનેક તબક્કે ચકાસણી કરવામાં આવે છે, છતાં આવી ગંભીર ભૂલ કેવી રીતે થઈ તે તપાસનો વિષય બન્યો છે. આ મામલે ચૂંટણી અધિકારીએ મીડિયાને કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું છે, જેનાથી શંકાઓ વધુ ગાઢ બની છે. હાલ આ મુદ્દે અધિકારીઓ આંતરિક તપાસ હાથ ધરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાએ ચૂંટણી પ્રક્રિયામાં વધુ સાવચેતી અને જવાબદારીની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે, જેથી મતદારોનો વિશ્વાસ જળવાઈ રહે.
આ પણ વાંચો : Umreth Assembly By-Poll 2026 : આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન, 2.45 લાખ મતદારો 6 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

