Kheda news: ડાકોર મંદિરમાં ભગવાનને સોનાના શસ્ત્રોથી સજ્જ કરાયા, વિજયાદશમીની ઉજવણી કરાઈ

Oct 2, 2025 - 23:00
Kheda news: ડાકોર મંદિરમાં ભગવાનને સોનાના શસ્ત્રોથી સજ્જ કરાયા, વિજયાદશમીની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે સમગ્ર દેશમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન કરાયું હતું. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં સોનાના શસ્ત્રોનું પૂજન કરાયું હતું. ભગવાનને કેસરથી સ્નાન કરાવીને સોનાના શસ્ત્રોથી સજાવવામાં આવ્યા હતાં. આ દરમિયાન પૂજન અર્ચન અને મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા કરવામાં આવી હતી.

ડાકોર મંદિરમાં દશેરાની ઉજવણી

ડાકોર મંદિરમાં રણછોડરાયજીને કેસરથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. તેમને સોનાના શસ્ત્રોથી સજ્જ કરાયા હતાં. ભગવાનના મંદિરમાંથી સોનાના શસ્ત્રો પાલખીમાં મુકી ગોમતી ઘાટ સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવ્યા હતાં. ગોમતીના નીરથી શસ્ત્રોને ધોઈને શુદ્ધ કરાયા હતાં. મંદિરમાં સોનાના આયુધોને રણછોડજી સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ કરી પૂજન અને આરતી કરાઈ હતી. ડાકોર મંદિરમાં આજે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0