Junagadh News : જુનાગઢના ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવા મામલે મોટો વળાંક, હાદેવગીરી બાપુની વોટ્સએપ ચેટ સામે આવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢના પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી ગઈ છે. બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતાં આશ્રમની આંતરિક બાબતોનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સુસાઇડ નોટમાં આશ્રમમાં કથિત રીતે ચાલતી 'કામલીલા' અને પોતાને થતા 'ટોર્ચર'ની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેટ અન્ય વ્યક્તિ સાથેની હોવાનું સામે આવ્યું છે, જોકે સંદેશ ન્યૂઝ આ ચેટની પુષ્ટિ કરતું નથી, પરંતુ તેનાથી ઘણી ગંભીર બાબતોનો ખુલાસો થયો છે.
ત્રણ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ અને પોલીસ તપાસ
મહાદેવગીરી બાપુએ સુસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિઓ— પરમેશ્વર ભારતી, હિતેશ ઝડફિયા, અને કૃણાલ — દ્વારા તેમને શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ત્રણેય કર્મચારીઓ પર જ આશ્રમમાં ચાલતી ગેરરીતિઓમાં સામેલ હોવાનો પણ આક્ષેપ છે. આ ગંભીર મામલાની તપાસ માટે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે અને ગુમ લઘુમહંતને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટના બાદ ધાર્મિક આસ્થા ધરાવતા લોકોમાં ભારે ચર્ચા અને આઘાતની લાગણી ફેલાઈ છે.
નિષ્પક્ષ તપાસની માંગ અને પૂછપરછનો દોર
આ સંવેદનશીલ મામલાના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે, જ્યાં પોલીસે હરિહરાનંદ બાપુની આ અંગે પૂછપરછ કરી છે. દરમિયાન, મહામંડલેશ્વર ઋષિ ભારતીએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે આશ્રમ સાથે જોડાયેલા અન્ય લોકોને પણ અપીલ કરી છે કે જો કોઈ ભૂલ થઈ હોય તો તે સામે આવે અને સત્ય બહાર લાવવામાં મદદ કરે. સમગ્ર સંત સમાજ અને ભક્તો આ આઘાતજનક ઘટના બાદ સત્ય બહાર આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેની રાહ જોઈ રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

